Cricket: ચક્રવાતી તોફાને વાનખેડે સ્ટેડિયમમાં પણ પહોંચાડ્યુ નુકશાન, રવિ શાસ્ત્રીએ તબાહીને લઇ કહ્યુ આમ
'તાઉ તે' ચક્રવાત (tauktae cyclone) હાલમાં ગુજરાતમાં પ્રવેશ કરીને નુકશાન વર્તાવી રહ્યુ છે. આ પહેલા મુંબઈ (Mumbai) નજીકથી પસાર થયેલા તાઉ તેએ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પણ ખૂબ નુકશાન પહોંચાડ્યુ છે. ચક્રાવાતી પવને સ્ટેડિયમની 16 ફુટની સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી દીધી છે.
‘તાઉ તે’ ચક્રવાત (tauktae cyclone) હાલમાં ગુજરાતમાં પ્રવેશ કરીને નુકશાન વર્તાવી રહ્યુ છે. આ પહેલા મુંબઈ (Mumbai) નજીકથી પસાર થયેલા તાઉ તેએ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પણ ખૂબ નુકશાન પહોંચાડ્યુ છે. ચક્રાવાતી પવને સ્ટેડિયમની 16 ફુટની સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી દીધી છે.
તાઉ તે તોફાન મુંબઈને તીવ્ર ગતીથી પવન સાથે અસર પહોંચાડ્યુ હતુ. જેનાથી મુંબઈ અને એક વિસ્તારોમાં તબાહી મચી હતી. સાથે જ ભારે વરસાદથી પાણી પણ ભરાયા હતા. આ તોફાને લોકોના ઘરને ભારે નુકશાન કરવા ઉપરાંત ક્રિકેટને પણ ભારે નુકશાન પહોંચાડ્યુ હતુ.
ટીમ ઈન્ડીયા (Team India)ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) પણ તાઉ તે તોફાનની તાકાત જોઈને ચકરાવી ગયા હતા. તાઉ તે જ્યારે મુંબઈને તબાહ કરી રહ્યુ હતુ, એ દરમ્યાન રવિ શાસ્ત્રી ટ્વીટર પર તેના જોર પર વર્ણન પોતાના શબ્દોમાં કરી રહ્યા હતા. તેમણે લખ્યુ હતુ કે, તોફાન તો તોફાન હોય છે, ખૂબ ખતરનાક હતુ. તે હજુ પણ જારી છે. અમારા ફિંગર ક્રોસ છે, આશા છે કે તોફાન વધારે તબાહી ના મચાવે.
https://twitter.com/RaviShastriOfc/status/1394314179704672256?s=20
રવિ શાસ્ત્રી તાઉ તેથી વધારે તબાહીની આશા ના કરી રહ્યા હોય, પરંતુ મુંબઈથી ગુજરાત તરફ જતા જતા તેણે વાનખેડેને જરુર નુકશાન પહોંચાડ્યુ છે. તાઉ તે ચક્રવાતે વાનખેડેની વિશાળ સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી છે. મુંબઈ ક્રિકેટ એસોશીએશન એ બતાવ્યુ હતુ કે, નોર્થ સ્ટેન્ડ પર લગાવાયેલી સાઈટ સ્ક્રીનને તોફાનથી નુકશાન પહોંચ્યુ છે. ભારે પવનને લઈને તે ધ્વસ્ત થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Cyclone Tauktae : વાવાઝોડા દરમિયાન મહિલા પર પડ્યુ ઝાડ, ઘટના CCTV માં કેદ