Cricket: વિરાટ કોહલીની કેપ્ટનશીપ બદલવાને લઇ BCCI સેક્રેટરી જય શાહે સસ્પેન્સ સમાપ્ત કર્યુ, આપ્યુ મોટુ નિવેદન

જય શાહે પોતાના નિવેદનથી એ તમામ બાબતો સ્પષ્ટ થઇ ચુકી છે, જે T20 વિશ્વકપ પહેલા ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ કરવાને લઇને કન્ફ્યુઝન પેદા થઇ રહ્યુ હતુ. આ તમામ મુંઝવણોને દુર કરી દેવાઇ છે.

Cricket: વિરાટ કોહલીની કેપ્ટનશીપ બદલવાને લઇ BCCI સેક્રેટરી જય શાહે સસ્પેન્સ સમાપ્ત કર્યુ, આપ્યુ મોટુ નિવેદન
Jay Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 12:30 PM

T20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલા વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપ ફરી એક વખત ચર્ચામાં આવી હતી. ICC ટુર્નામેન્ટ બાદ, T20 અને વનડેમાંથી કેપ્ટનશીપ છોડવાના સમાચાર મીડિયામાં અહેવાલ તરીકે ઉડવા લાગ્યા. જ્યારે કેપ્ટન કોહલી વિશે અટકળોનું બજાર ગરમ થયું, ત્યારે પહેલા BCCI ના ખજાનચી અરુણ ધૂમલ સામેથી આવ્યા અને મીડિયા અહેવાલમાં કહ્યું કે આ બધું પાયાવિહોણું છે અને બકવાસ છે.

પરંતુ, તે પછી પણ, જો વિરાટની વનડે અને T20 કેપ્ટનશિપ અંગે કોઈ શંકા હોય, તો હવે ફક્ત BCCI સચિવ જય શાહ (Jay Shah) ની વાત સાંભળો. BCCI સચિવે વિરાટ કોહલીની કેપ્ટનશીપનું ભવિષ્ય નક્કી કર્યું છે. તેમના નિવેદન સાથે, તેમણે T20 વર્લ્ડ કપ પહેલા ઉદ્ભવેલી બધી મૂંઝવણો દૂર કરી દીધી છે.

BCCI ના સચિવ જય શાહે વિરાટ કોહલીની કેપ્ટનશીપ કારકિર્દી પર ભાર મૂકતા કહ્યું કે, જ્યાં સુધી ટીમ પ્રદર્શન કરી રહી છે. તે સારું પ્રદર્શન આપી રહી છે. કેપ્ટનશીપમાં ફેરફારનો પ્રશ્ન ઉભો થતો નથી. જય શાહે મીડિયા રીપોર્ટસ મુજબ એક વાતચીતમાં આ નિવેદન આપ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શાહનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપ છોડવા અને ટીમ ઇન્ડીયામાં સ્લીપ્ટ કેપ્ટનસીના અહેવાલોએ મીડિયામાં ચર્ચા બની ખૂબ બની છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને વનડે અને T20 માં પોતાની કેપ્ટનશીપ સોંપશે. જ્યારે કોહલી માત્ર ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન રહેશે.

કોહલીની કેપ્ટશીપમાં કમાલ, પરંતુ ICC ટ્રોફીનો ઇંતઝાર

જય શાહે કેપ્ટનશીપને ટીમના પ્રદર્શન સાથે જોડીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની 2-1ની લીડ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે T20 ક્રિકેટમાં કેપ્ટન કોહલીની ટીમની સિદ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે કોહલીની કેપ્ટનશીપમાં ભારત ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં હાર્યું નથી. તેઓએ ઇંગ્લેન્ડ સામે 3-2 થી જીત મેળવી, ઓસ્ટ્રેલિયામાં 2-1 થી જીત મેળવી, શ્રીલંકાને 2-0 થી હરાવ્યુ અને ન્યુઝીલેન્ડને 4-0 થી હરાવ્યું. જોકે, વિરાટ કોહલીની સામે આઈસીસી ટુર્નામેન્ટ જીતવી હજુ પણ મોટો પડકાર છે.

ભારતે ગયા અઠવાડિયે જ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તેણે ધોનીને મેન્ટર તરીકે જોડીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. BCCI ના આ નિર્ણયની દરેક દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને તેને માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">