
Bishan Singh Bedi નું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો તેમ કહેવાય તો ખોટું નથી. કારણ કે તે બોલર તરીકે તેમણે નામના મેળવી હતી. જેણે વિશ્વભરના બેટ્સમેનો માટે ક્રિકેટ પિચ પર ટકી રહેવા મુશ્કેલી ઊભી કરી હતી.
Bishan Singh Bedi ના નિધનને લઈ અમિત શાહે પણ ટ્વિટ કર્યું અને કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીના નિધનથી ખૂબ જ દુઃખી છું. બેદી માત્ર ક્રિકેટની દુનિયામાં તેમના યોગદાન માટે જ નહીં પરંતુ પિચ પર જાદુ બતાવનાર કુશળ બોલિંગના માસ્ટર તરીકે પણ અમારી યાદોમાં જીવશે.
Deeply saddened by the demise of the legendary spinner and former captain of the Indian cricket team Bishan Singh Bedi Ji. Bedi Ji will live in our memories not only through his contribution to the cricketing world but also as the master of crafty bowling who could weave magic on…
— Amit Shah (@AmitShah) October 23, 2023
મહત્વનુ છે કે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કર્યું અને કહ્યું કે, “અમારા શ્રેષ્ઠમાંથી એક બિશન સિંહ બેદી હવે નથી. આ આપણા ક્રિકેટ જગત માટે નુકસાન છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. મહત્વનુ છે કે અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, દેશ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બોલર તરીકે બિશન સિંહ બેદીને યાદ કરશે. બેદી હવે આપણી વચ્ચે નથી. આ ક્રિકેટ જગત માટે નુકસાન છે.
Bishan singh bedi One of our best is no more. It’s a loss to our cricketing fraternity. My deep condolences to his family.
— Irfan Pathan (@IrfanPathan) October 23, 2023
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને કહ્યું કે ભારતના ક્રિકેટ દિગ્ગજોમાંથી એક બિશન સિંહ બેદી હતા જે હવે આપની વચ્ચે નથી રહ્યા. તે એક સારા સ્પિન બોલર હતા.
One of India’s all-time cricket legends, Bishen Singh Bedi, is sadly no more. He was an oustanding spin bowler and a member of the famed quartet. On and off the field, he was a charming and colourful personality who spoke his mind fearlessly at all times. A conversation with him…
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 23, 2023
આ પણ વાંચો : વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન
આ સાથે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું, “ભારતીય ક્રિકેટના દિગ્ગજ બિશન સિંહ બેદીના નિધન વિશે જાણીને દુઃખ થયું. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને પોતાની ડાબા હાથની બોલિંગથી ભારતને ઘણી યાદગાર ક્ષણો આપી. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો માટે મારી હૃદયથી સંવેદના છે.
Published On - 5:03 pm, Mon, 23 October 23