Ranji Trophy: ટૂર્નામેન્ટ યોજવાને લઇ ઘરેલુ ખેલાડીઓને આનંદ, બરોડા અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ અને કોચે ખુશ થઇ કહ્યુ આમ

રણજી ટ્રોફી (Ranji Trophy) ની નોકઆઉટ મેચો જૂનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી યોજાઈ શકે છે, જ્યારે લીગનો તબક્કો ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે.

Ranji Trophy: ટૂર્નામેન્ટ યોજવાને લઇ ઘરેલુ ખેલાડીઓને આનંદ, બરોડા અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ અને કોચે ખુશ થઇ કહ્યુ આમ
Ranji Trophy ની સિઝન જૂનમાં રમાઇ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 9:38 AM

છેલ્લા બે વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ન રમનારા ડોમેસ્ટિક ક્રિકેટરો એ સમાચાર સાંભળીને ખુશ છે કે દેશની મુખ્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2022 (Ranji Trophy) માં બે તબક્કામાં યોજાશે અને તેઓ આ આનંદને છુપાવી શકતા નથી. કોવિડ-19 મહામારી વચ્ચે BCCI માટે 38 ટીમોની ટૂર્નામેન્ટનું આયોજન કરવું ખૂબ જ પડકારજનક છે. બીસીસીઆઈના સચિવ જય શાહે (Jay Shah) શુક્રવારે જાહેરાત કરી હતી કે રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો જૂનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી યોજવામાં આવી શકે છે જ્યારે લીગનો તબક્કો ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે.

બે તબક્કાની ટૂર્નામેન્ટનું આયોજન કરવું પડકારજનક છે પરંતુ લાલ-બોલ ક્રિકેટનો અર્થ એ છે કે નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા ક્રિકેટરો માટે અને ભારતીય ક્રિકેટ તરફ દોરી જતી સીડી પર ચઢવા માટે પ્લેટફોર્મ ન મળતું હોય છે.

શેલ્ડન જેક્સને આ વાત કહી

સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન શેલ્ડન જેક્સને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “દેશનો દરેક સ્થાનિક ક્રિકેટર લીગ સ્ટેજ કે નોકઆઉટ વિશે વિચારતો નથી, કોઈ બબલ કે કોવિડ -19 વિશે વિચારતો નથી, તે ફક્ત રમવા માંગે છે. આ સમયે રમવું જ બધું છે અને બાકી બધુ થઇ જશે.

આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ
કંગના પહેલા આ અભિનેત્રીઓ રાજકારણમાં કરી ચુકી છે એન્ટ્રી, જુઓ લિસ્ટ

સૌરાષ્ટ્રની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને દેશમાં છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ માર્ચ 2020માં રમાઈ હતી. તેણે કહ્યું, “અમે બીસીસીઆઈના ખૂબ આભારી છીએ જેણે આ મુશ્કેલ સમયમાં પણ રેડ બોલ ક્રિકેટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે તમે રમો છો ત્યારે જ તમે સીડી ઉપર ચઢવાનું વિચારી શકો છો. ,

સંદીપ શર્મા પણ ખુશ

ટૂર્નામેન્ટના ફોર્મેટ પ્રમાણે દરેક ટીમે પાંચ લીગ મેચ રમવાની રહેશે. દરેક મેચ પછી ત્રણ દિવસના આરામ સાથે તે એક મહિનામાં પૂર્ણ કરી શકાય છે. ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ જૂનમાં યોજાઈ શકે છે, જોકે ચોમાસાની સિઝન વર્ષના આ સમયે શરૂ થાય છે. ચંદીગઢના ઝડપી બોલર સંદીપ શર્મા, નિયમિત IPL ખેલાડી, તાજેતરમાં જ કોવિડ-19 સામે લડ્યો છે જ્યારે ડેન્ગ્યુને કારણે ઘરેલુ T20 ટૂર્નામેન્ટ ચૂકી ગયો હતો. રણજીની શરૂઆતથી તે ખૂબ જ ખુશ છે પરંતુ કહે છે કે તેનું આયોજન કરવું BCCI માટે ઘણું મુશ્કેલ કામ હશે.

તેણે કહ્યું, “આઈપીએલમાં માત્ર 200 ખેલાડી રમે છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનાથી ઘણા વધારે ખેલાડીઓ છે. તે તમારી કારકિર્દી વૃદ્ધિ માટે નાણાકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. હું તાજેતરમાં કોવિડ-19માંથી સાજો થયો છું તેથી હું પ્રાર્થના કરીશ કે રણજી દરમિયાન કોઈને પણ આ વાયરસનો ચેપ ન લાગે”

કોચ અને અધિકારીઓ પણ ખુશ

સૌરાષ્ટ્રના કોચ નીરજ ઓડેદરાએ જણાવ્યું હતું કે, “રણજી ટ્રોફીનું બે તબક્કામાં આયોજન કરવું એ એક અલગ પડકાર હશે પરંતુ તેમ છતાં તે સકારાત્મક સમાચાર છે, ઓછામાં ઓછું તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાલ બોલની ક્રિકેટની ગેરહાજરી તમારા ક્રિકેટરોની ‘સપ્લાય લાઇન’ (પ્રતિભા) પર અસર કરી રહી હતી અને જો બીજા એક વર્ષ માટે રણજી ન હોત તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોત.

બરોડા ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ શિશિર હટંગડીએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ મર્યાદિત સમયમાં પૂર્ણ થાય તેની ખાતરી કરવા માટે બોર્ડ 70 અને 80ના દાયકામાં રણજી ટ્રોફી માટે ત્રણ દિવસીય ફોર્મેટમાં પણ પરત ફરી શકે છે.

તેમણે કહ્યું, એવું લાગે છે કે તેમને હિલચાલ અને મુસાફરીને મર્યાદિત કરવા માટે ફોર્મેટમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે. તેઓ લીગ તબક્કામાં ત્રણ-દિવસીય ફોર્મેટમાં પાછા પણ જઈ શકે છે અને IPL પહેલા ઉપલબ્ધ દિવસોની સંખ્યાને ધ્યાનમાં લેતા નોકઆઉટ ચાર દિવસનો હોઈ શકે છે. મર્યાદિત સમયને ધ્યાનમાં લેતા આ પણ શ્રેષ્ઠ વિકલ્પ જેવું લાગે છે.

આ પણ વાંચોઃ IND VS WI: વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં તિરાડ, કેપ્ટન કિરોન પોલાર્ડે સાથી ખેલાડી સાથે કર્યો અન્યાય!

આ પણ વાંચોઃ ICC એ ઝિમ્બાબ્વેના બેટ્સમેન પર લગાવ્યો પ્રતિબંધ, ભ્રષ્ટાચારના આરોપમાં કરી મોટી કાર્યવાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">