પાકિસ્તાનની ધમકી પર અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ, PCB-રમીઝ રાજાને બતાવ્યો અરીસો

BCCI સેક્રેટરી જય શાહે ગયા મહિને કહ્યું હતું કે ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, ત્યાર બાદ આખો વિવાદ શરૂ થયો હતો.

પાકિસ્તાનની ધમકી પર અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ, PCB-રમીઝ રાજાને બતાવ્યો અરીસો
Anurag Thakur એ આપ્યો જવાબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 10:33 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી જ બંધ ક્રિકેટ સંબંધો બગડવાની આશંકા વધી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે આવતા વર્ષે યોજાનાર એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને રેટરિક વધુ તીવ્ર બનવા લાગી છે. ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે અને વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી છે, જેના પર કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી વળતો જવાબ આપતા કહ્યું કે સમય આવશે. બધું ખબર પડી જશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે, આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાને પાડોશી દેશ મોકલવામાં આવશે નહીં અને આવી સ્થિતિમાં એશિયા કપ તટસ્થ સ્થળે યોજવો પડશે. આ પછી પીસીબીએ બીસીસીઆઈને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે જો આવું થશે તો પાકિસ્તાની ટીમ પણ આવતા વર્ષે વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે.

‘ભારતને અવગણી શકાય નહીં’

હવે એક દિવસ પહેલા પીસીબી ચીફ રમીઝ રાજાએ ફરી એક વાર આમ તેમ નિવેદન કર્યા હતા અને કહ્યું હતું કે જો પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય તો કોઈ ટૂર્નામેન્ટ પણ જોશે નહીં. BCCIના પૂર્વ અધ્યક્ષ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે PCBની આ પોકળ ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

સમાચાર એજન્સી એ ઠાકુરને ટાંકીને કહ્યું કે, યોગ્ય સમયની રાહ જુઓ. સ્પોર્ટ્સ જગતમાં ભારત એક મોટી તાકાત છે અને કોઈ પણ દેશ ભારતને અવગણી શકે નહીં. ઓક્ટોબરમાં જ્યારે આ વિવાદ શરૂ થયો ત્યારે પણ અનુરાગ ઠાકુરે પીસીબીની ધમકીનો આ જ રીતે જવાબ આપ્યો હતો.

રમીઝ રાજાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે રમીઝ રાજાએ તાજેતરમાં એક પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે જો ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તે પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. તેણે કહ્યું કે પાકિસ્તાની બોર્ડ આ મુદ્દે આક્રમક વલણ અપનાવશે અને પાકિસ્તાની ટીમ જે પ્રકારનું સારું પ્રદર્શન કરી રહી છે તેને જોતાં જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં નહીં રમે તો કોઈ પણ ટૂર્નામેન્ટ જોશે નહીં. યોગાનુયોગ, T20 વર્લ્ડ કપની જેમ, ભારત અને પાકિસ્તાન આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">