BCCI: પાકિસ્તાન ટીમ માટે ભારત આવવાનો માર્ગ મોકળો, અમદાવાદમાં રમાશે T20 વિશ્વકપ ફાઇનલ, જાણો પૂરી વિગત
પાકિસ્તાની (Pakistan) ક્રિકટરો ભારતમાં ઓક્ટોબર માસમાં રમાનારા T20 વિશ્વકપને લઇને રમવા આવી શકશે. આ માટે તેઓના વિઝાને લઇને કેન્દ્ર સરકાર દ્રારા BCCI ને આશ્વાસન મળ્યુ છે.
પાકિસ્તાની (Pakistan) ક્રિકટરો ભારતમાં ઓક્ટોબર માસમાં રમાનારા T20 વિશ્વકપને લઇને રમવા આવી શકશે. આ માટે તેઓના વિઝાને લઇને કેન્દ્ર સરકાર દ્રારા BCCI ને આશ્વાસન મળ્યુ છે. BCCI ના સેક્રેટરી જય શાહે (Jay Shah) સરકાર દ્રારા આશ્વાસન મળ્યા બાદ આ અંગેની જાણકારી આપી હતી. વિડીયો કોન્ફરન્સ બેઠક દ્રારા એ પણ જાણકારી આપવામાં આવી હતી કે, T20 વિશ્વકપ કયા કયા સ્થાનો પર યોજવામા આવી શકે છે. ઉપરાંત વિશ્વકપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આયોજીત કરવામાં આવશે. બીસીસીઆઇ વર્ચ્યુઅલ બેઠકમાં આ અંગેની જાણકારી અપાઇ હતી.
વિશ્વકપની મેચો માટેના અન્ય સ્થળોની યાદીમાં દિલ્હી, મુંબઇ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ધર્મશાળા અને લખનૌ પણ સામેલ છે. બીસીસીઆઇના એક સદસ્ય દ્રારા બતાવાયુ હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને વિઝા મળવાનો મામલો હલ થઇ ચુક્યો છે. હાલમાં જોકે એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, પાકિસ્તાની ક્રિકેટ ફેંસને આવા માટે અનુમતી મળશે કે કેમ. જે પણ સમયાનુસાર સ્પષ્ટતા કરવામા આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક સંબંધો માં તણાવને લઇને લગભગ એક દશક થી બંને દેશો વચ્ચે ક્રિકેટ આયોજન થતા નથી.
આ ઉપરાંત પણ બીસીસીઆઇ દ્રારા એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, પાછળના વર્ષની માફક જ આ વર્ષે પણ મહિલા T20 ચેલેન્જ રમાનાર છે. જેના બાદ ટીમ તુરત જ ઇંગ્લેંડ માટે રવાના થશે. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, મહિલા ક્રિકેટરો ઇંગ્લેંડમાં પૂર્ણ સિરીઝ રમશે. જ્યારે તે પરત ફરશે તો વેસ્ટ ઇન્ડીઝ અથવા દક્ષિણ આફ્રિકાની મહિલા ટી ફરી થી બાઇલેટરલ સિરીઝ માટે આવશે. ત્યાર બાદ વ્હાઇટ બોલ સિરીઝ માટે ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ ખેડશે. બાદમાં ન્યુઝીલેન્ડ માં પણ એક સિરીઝ રમશે. ન્યુઝીલેન્ડ સામે બાઇલેટરલ સિરીઝ અથવા ટ્રાઇ સિરીઝ વન ડે વિશ્વકપ પહેલા રમાશે.