રાહુલ દ્રવિડે ભલામણ કરી હતી, વિરાટ કોહલીનુ ફોર્મ પરત અપાવ્યુ, હવે BCCI એ છેડો તોડ્યો

BCCI એ ભૂતકાળમાં સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી, પરંતુ હવે બોર્ડે વિરાટ કોહલીને મદદ કરનાર પેડી અપટનને ન રાખવાનો નિર્ણય લીધો છે.

રાહુલ દ્રવિડે ભલામણ કરી હતી, વિરાટ કોહલીનુ ફોર્મ પરત અપાવ્યુ, હવે BCCI એ છેડો તોડ્યો
BCCI એ Paddy Upton નો કરાર રિન્યૂ ના કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 10:18 AM

T20 વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ BCCI સંપૂર્ણ રીતે એક્શનમાં છે. બીસીસીઆઈ એ ભૂતકાળમાં અચાનક સમગ્ર પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે બોર્ડે આ એપિસોડમાં વધુ એક પગલું ભર્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બોર્ડ મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે. વર્લ્ડ કપ સાથે અપટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયો. અપટનની પસંદગી કોચ રાહુલ દ્રવિડ દ્વારા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર, BCCI એ મેન્ટલ કન્ડીશનીંગ કોચ અપટનનો કોન્ટ્રાક્ટ વધાર્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા, દ્રવિડની ભલામણ પર તેને વર્લ્ડ કપ સુધી સામેલ કરવામાં આવ્યા હતા. હવે અપટન બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય. ખેલાડીઓના દબાણને દૂર કરવામાં મદદ કરવા માટે અપટનને રાખવામાં આવ્યા હતા. તે પોતાના કામમાં સફળ પણ રહ્યા હતા. તેના ઇનપુટ્સે વિરાટ કોહલીને ફોર્મમાં પરત ફરવામાં પણ મદદ કરી. પેડી અપટને પણ કેએલ રાહુલ સાથે સમય વિતાવ્યો અને રાહુલ પણ અડધી સદી ફટકારીને પાછો ફર્યો.

બીજી ઇનિંગ ભારતીય ટીમ સાથે હતી

જો કે, T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રાહુલ ફરી લડખડાયો અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રાહુલ સાથે કામ ન કરવા બદલ તેને ઠપકો આપ્યો. ભારતીય ટીમ સાથે અપટનની આ બીજી ઇનિંગ હતી. અગાઉ તેણે ગેરી કર્સ્ટન સાથે કામ કર્યું હતું જ્યારે ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

IPLમાં પણ કામ કરવાનો અનુભવ

અપટને IPLમાં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેરડેવિલ્સ  (દિલ્હી કેપિટલ્સ) અને પુણે વોરિયર્સ સાથે પણ કામ કર્યું છે. BCCIએ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવ્યા બાદ અપટન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રોહિત T20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે

બોર્ડ પણ ટીમને લઈને પગલાં લઈ રહ્યું છે. બોર્ડ T20 ક્રિકેટમાંથી ઘણા સિનિયર ખેલાડીઓને બહાર કરી શકે છે. જેમાં આર અશ્વિન, દિનેશ કાર્તિક અને મોહમ્મદ શમીના નામ સામેલ છે. રોહિત શર્મા પણ ટી-20ની કેપ્ટનશીપ ગુમાવી શકે છે. જ્યારે એવું માનવામાં આવે છે કે હાર્દિક પંડ્યા 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી શકે છે. આમ ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">