BCCIને વર્ષે 3,700 કરોડની કમાણી સામે 4,800 કરોડ IPL ટીમને ચુકવવાથી મળી રાહત, જાણો શું હતો વિવાદ

ફેન્ચાઈઝીએ મુંબઈ હાઈકોર્ટમાં BCCIને પડકાર્યુ હતુ. જે સમયે કોર્ટે નિવૃત્ત જજ સીકે ઠક્કરને મધ્યસ્થી નિયુક્ત કર્યા હતા. જેણે લગભગ એક વર્ષ પહેલા IPL ટીમને 4,800 કરોડ રુપિયા ચુકવવા માટે આદેશ કર્યો હતો. આ નિર્ણય બાદ BCCIએ આ મામલાને કોર્ટમાં પડકાર્યો હતો.

BCCIને વર્ષે 3,700 કરોડની કમાણી સામે 4,800 કરોડ IPL ટીમને ચુકવવાથી મળી રાહત, જાણો શું હતો વિવાદ
BCCI-IPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 16, 2021 | 7:17 PM

IPLની રહેલી એક ટીમ ડેક્કન ચાર્જીસ (Deccan Chargers) વચ્ચે એક ખૂબ ચર્ચાસ્પદ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં હવે BCCIને રાહતના રુપ નિર્ણય મળ્યો છે. કોર્ટે BCCIના પક્ષમાં હુકમ કર્યો છે. વર્ષ 2012નો આ વિવાદ ડેક્કન ચાર્જીસ હોલ્ડીંગ લિમિટેડ (DCHL) સાથે ફેન્ચાઈઝી કરારને સમાપ્ત કરવાને લઈને હતો. જેમાં BCCIએ DCHLને 4,800 કરોડ રુપિયા ચુકવી આપવાના કરેલા નિર્ણયને BCCIએ પડકાર્યો હતો. જેમાં આ રાહત મળી હતી.

અગાઉ જ્યારે આ મામલે ડેક્કન ચાર્જીસની ફેન્ચાઈઝીએ મુંબઈ હાઈકોર્ટમાં BCCIને પડકાર્યુ હતુ. જે સમયે કોર્ટે નિવૃત્ત જજ સીકે ઠક્કરને મધ્યસ્થી નિયુક્ત કર્યા હતા. જેણે લગભગ એક વર્ષ પહેલા IPL ટીમને 4,800 કરોડ રુપિયા ચુકવવા માટે આદેશ કર્યો હતો. આ નિર્ણય બાદ BCCIએ આ મામલાને કોર્ટમાં પડકાર્યો હતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

વર્ષ 2012માં દેવામાં ડુબેલ IPL ટીમ ડેક્કન ચાર્જીસનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે ટીમનો માલિકી હક ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડીંગ પાસે હતો. જેથી તેણે કરાર સમાપ્ત કરાવાને લઈ મામલો કોર્ટમાં પડકાર્યો હતો. ડેક્કન ચાર્જીસને IPLમાંથી બહાર કરવા બાદ BCCIએ હૈદરાબાદની નવી એક ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને ટૂર્નામેન્ટમાં સામેલ કરી હતી. જેનો માલિકી હક કલાનિધી મારન પાસે છે.

ડેક્કન ચાર્જીસની ટીમે એકવાર IPL ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. વર્ષ 2009માં એટલે કે IPLની બીજી સિઝનને ડેક્કન ચાર્જીસે જીતી હતી. ત્યારે આ ટીમના કેપ્ટન એડમ ગિલક્રીસ્ટ હતા. જ્યારે ટીમમાં રોહિત શર્મા પણ સામેલ હતો. ડેક્કન ચાર્જીસ ટીમ IPLથી બહાર થતાં રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સે પોતાની સાથે લીધો હતો. રોહિત શર્માએ મુંબઈને ચાર વાર IPL ટ્રોફી અપાવી છે.

ડેક્કને ટાઈટલ જીતવાના વર્ષે 14 કરોડ નફો કર્યો

2009માં ડેક્કન ચાર્જીસે IPL દ્વારા 14.8 કરોડ રુપિયા નફો કર્યો હતો. જે વર્ષે મુંબઈ ઈન્ડીયન્સે માત્ર 7 કરોડ રુપિયા નફો કર્યો હતો. જે સૌથી ઓછો નફો હતો. જ્યારે સૌથી વધુ નફો રાજસ્થાન રોયલ્સે 35.1 કરોડ રુપિયા કર્યો હતો.

IPL પછી BCCIની આવકમાં વધારો થયો

BCCIએ વાર્ષિક રિપોર્ટમાં બતાવ્યા મુજબ વર્ષ 2019-20ના દરમ્યાન 3,730 કરોડ રુપિયાની આવક કરી હતી. જે પૈકી 2,500 કરોડ રુપિયાની આસપાસની રકમ માત્ર IPL દ્વારા જ કમાણી કરી હતી. 2007માં BCCIને 1 હજાર કરોડ રુપિયાની આવક થઈ હતી. આમ IPL બાદ 273 ટકા આવકમાં વધારો થયો છે.

આ પણ વાંચો: WTC Final: ફાઈનલમાં વિરાટ કોહલીને સોનામાં સુગંધ ભેળવી શકવાની તક, આ વિશ્વ વિક્રમ પોતાને નામે કરી શકે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">