Arun Lal એ બંગાળ ક્રિકેટ ટીમના કોચ પદેથી આપ્યું રાજીનામું, ટીમ વિશે કહી આ મોટી વાત

Cricket : બંગાળ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ અરુણ લાલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેણે બંગાળની ટીમને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરી છે.

Arun Lal એ બંગાળ ક્રિકેટ ટીમના કોચ પદેથી આપ્યું રાજીનામું, ટીમ વિશે કહી આ મોટી વાત
Arun Lal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:30 AM

અરુણ લાલ (Arun Lal)બંગાળ ક્રિકેટ ટીમ (Bengal Cricket Team) ના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઇએ કે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અરુણ લાલ છેલ્લી 3 સીઝનથી બંગાળની ટીમ સાથે સંકળાયેલા હતા. પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરુણ લાલે કહ્યું કે, બંગાળની ટીમે છેલ્લા ઘણા સમયથી વધુ સારું પ્રદર્શન કર્યું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનું માનવું છે કે ભલે તે ટીમ સાથે હાલ જોડાઇ નથી રહ્યા. પણ તે પોતાની જાતને સમય આપવા માંગે છે. ઉપરાંત અરુણ લાલ માને છે કે બંગાળ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી દિવસોમાં ટ્રોફી જીતશે.

બંગાળ ટીમ ઘણી સારી સ્થિતિમાં છેઃ અરુણ લાલ

અરુણ લાલ (Arun Lal) એ કહ્યું કે, સમય સાથે સ્પર્ધા વધુ કઠિન બની રહી છે. એક ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે જે ટીમ ગત સિઝનમાં સેમિ ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી તે ટીમ આ સિઝનમાં ફાઇનલિસ્ટ હતી. તેમણે કહ્યું કે આ કામ સરળ નથી. લગભગ 9 મહિના, 24 કલાક, સાતેય દિવસ બહાર રહેવું પડે છે. બંગાળ સારું કરી રહ્યું છે અને સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. અરુણ લાલે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ટીમ છેલ્લી બે સિઝનમાં નોકઆઉટમાં પહોચી હતી. તેથી હું માનું છું કે આ ટીમ ઘણી સારી સ્થિતિમાં છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હું ખુદને આરામ આપવા માંગુ છુંઃ અરુણ લાલ

નોંધનીય છે કે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અરુણ લાલે 16 ટેસ્ટ મેચો સિવાય 13 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બંગાળના કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ તેણે કહ્યું કે, બંગાળ માટે આ શાનદાર પ્રદર્શન હતું અને મેં મારા સમયનો પૂરો આનંદ માણ્યો હતો. આવનારા દિવસોમાં હું આ વસ્તુને મિસ કરીશ. આ એક એવું કામ છે જેમાં તમારી પાસેથી ઘણી મહેનતની જરૂર છે. પરંતુ હું મારી જાતને આરામ આપવા માંગુ છું. તેણે વધુમાં કહ્યું કે, મને ક્રિકેટમાં ઘણી રુચી છે. સાથે જ તેણે કહ્યું કે બંગાળની ટીમ (Bengal Ranji Team) જલ્દી જ ટાઇટલ જીતવામાં સફળ રહેશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">