IPL 2020: અંબાતી રાયડુના સારા પ્રદર્શનને લઇ સહેવાગે કહ્યુ, થ્રીડી ગ્લાસ એકટીવ થયો હવે
પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ હવે તેના ક્રિકેટ એનાલીસસ સાથે સોશીયલ મિડીયા પર દેખાવા લાગ્યા છે, તેઓએ પહેલી જ મેચને લઇને હવે પોતાનો અભીપ્રાય દર્શાવ્યો છે. આઇપીએલની મેચના પ્રથમ એનાલીસસને જાણે કે રજુ કર્યુ હોય એમ તેમણે વિરુ કી બૈઠત નામના મજાકીયા પ્રકારનો શો રજુ કર્યો છે. કઇ ટીમનો કેવો રહ્યો હતો દેખાવ અને […]
પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ હવે તેના ક્રિકેટ એનાલીસસ સાથે સોશીયલ મિડીયા પર દેખાવા લાગ્યા છે, તેઓએ પહેલી જ મેચને લઇને હવે પોતાનો અભીપ્રાય દર્શાવ્યો છે. આઇપીએલની મેચના પ્રથમ એનાલીસસને જાણે કે રજુ કર્યુ હોય એમ તેમણે વિરુ કી બૈઠત નામના મજાકીયા પ્રકારનો શો રજુ કર્યો છે. કઇ ટીમનો કેવો રહ્યો હતો દેખાવ અને કોણ કોની પર પડ્યુ હતુ ભારે, કોની ટીમની શુ છે, તાકાત અને કયા ખેલાડીમાં છે કેટલો દમ. આવી તમામ બાબતોને લઇને તેની આ એનાલીસસ આવી છે
મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી પ્રથમ મેચને લઇને પણ સહેવાગે તેની પ્રથમ એનાલીસીસ રજુ કરી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ ને મળેલી જીતને લઇને, પાછળના વર્ષે મળેલી હારનો બદલો લીધો હોવાનુ કહ્યુ છે સહેવાગે. તો એમ પણ કહ્યુ કે મુંબઇ ની ટીમ જોરદાર શરુઆત પછી પણ એક મોટા સ્કોર સુધી પહોંચી શકી નહોતી. આ માટે તેમણે મુંબઇની બેટીગને બે ભાગમાં વહેંચી દીધી, સૌરવ અને સૌરવ પછી, એટલે કે સૌરવ જ્યાં સુધી ક્રીઝ પર હતો ત્યા સુધી સ્કોર બોર્ડ ફરતુ રહ્યુ હતુ. પરંતુ સૌરવના આઉટ થવા સાથે જ જાણે કે સ્કોર બોર્ડ કાચબા ગતીથી આગળ વધતો હતો.
ચેન્નાઇના કેપ્ટન ધોની માટે સેહવાગે વખાણ કરતા કહ્યુ હતુ કે, ધોનીએ બોલરોને સુંદર રીતે રોટેટ કર્યા હતા. રવીન્દ્ર જાડેજા, એનગીડી અને દીપક ચહરને મુંબઇ ઇન્ડીયન્સને મોટા સ્કોર સુધી પહોંચવાથી રોકી રાખવામાં દિવાલ રુપ ભુમીકા બોલીંગ આક્રમણે નિભાવી હતી. રાયડુ એ ગત વર્ષે ખરીદેલા થ્રીડી ગ્લાસ હવે એક્ટીવેટ થયા હોય તેવુ લાગી રહ્યું છે, એમ કહીને રાયડુના પ્રર્દર્શનના પણ સહેવાગ વખાણ કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો