Cheteshwar Pujara: ઈજાને લઇને બે વર્ષની દિકરીનુંં ભરાઈ આવ્યુંં દિલ, કહ્યુ ચુમતા જ થઇ જશે ઠીક
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ (Test Series) ના મુખ્યપાત્ર હતા. તેણે સિરીઝમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા, અને ઇજાઓને સહીને પણ તે ક્રિઝ પર ટકી રહ્યો હતો.
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ (Test Series) ના મુખ્યપાત્ર હતા. તેણે સિરીઝમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા અને ઇજાઓને સહીને પણ તે ક્રિઝ પર ટકી રહ્યો હતો. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ના અંતિમ દિવસે પુજારાને આઉટ કરવા માટે, ઓસ્ટ્રેલીયાના બોલરોએ લગાતાર બોડી લાઇન બોલ નાંખી નિશાન બનાવ્યો હતો. આમ છતાં પણ તે ક્રિઝ પર અડ્યો રહ્યો હતો. એક બેટ્સમેનના રુપે તેણે એક મોટી જવાબદારી નિભાવવાની હતી, પરંતુ તેમની પત્નિને પણ તેના દર્દને જોઇને દુખ થઇ રહ્યુ હતુંં. તે ટીવી સામે નજર ઉઠાવીને જોઇ પણ શકતી નહોતી. એવા સમયે તેની બે વર્ષની પુત્રી તેનો સહારો બની હતી. તેની માસુમયતે માતાને ભરોસો અપાવ્યો હતો કે પિતા ઠીક જઇ જશે.
ચેતેશ્વર પુજારાની પત્નિ પુજાએ બે વર્ષ પહેલા જ પુત્રી અદિતીને જન્મ આપ્યો હતો. બ્રિસબેન ટેસ્ટમાં જીત બાદ પુજારાએ બતાવ્યુ હતુ કે, તેને દર્દમાં જોઇને તેની પત્નિ પુજા પરેશાન થઇ રહી હતી, ત્યારે તેની પુત્રી અદિતીએ કહ્યુ હતુ કે, પાપા ઘરે આવશે, ત્યારે હું તેમને જ્યાં વાગ્યુ છે ત્યાં કિસ કરીશ તો તે ઠીક થઇ જશે. પુજારાએ બતાવ્યુ કે જ્યારે અદિતી પડી જાય ત્યારે તે પણ તેને આમ જ કરતા હતા. એટલે એને લાગે છે કે કિસ કરવાથી ઇજા ઠીક જાય છે.
અંગ્રેજી સમાચાર પત્ર સાથેની વાતચિત દરમ્યાન પુજારાએ બતાવ્યુ હતુ કે, બ્રિસબેનમાં તેના શરીર પર અનેક જગ્યાએ ઇજાઓ પહોંચી હતી. તેમ છતાં પણ તે પાંચ કલાક સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે આ દરમ્યાન 56 રન બનાવ્યા હતા. તેણે શુભમન ગીલ સાથે 114 રનની ભાગીદારી કરી હતી. પુજારાએ કહ્યુ હતુ કે, ઇજાઓ છતાં પણ તે રમતો રહ્યો હતો, કારણ કે મને શરુઆતથી જ તેની આદત છે. એટલે જ મને લાગે છે કે, પીડા સહન કરવાની ક્ષમતા મારામાં ઘણી સારી છે. જ્યારે તમે વધારે સમય રમો છો, ત્યારે તેની આદત પડી જાય છે.
આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ