BCCI: ટીમ ઇન્ડીયા માટે પસંદગીકારોની ના પસંદ બનવાનુ કારણ સામે આવ્યુ, પૃથ્વી શો ‘ભારે’ લાગી રહ્યો છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Champioship) ફાઇનલ અને ઇંગ્લેંડ પ્રવાસ માટે BCCI એ શુક્રવારે ભારતીય ટીમ (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેડ સામે દમદાર પ્રવાસ ખેલાડીઓ પર પસંદગીકારોએ ભરોસો દર્શાવ્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Champioship) ફાઇનલ અને ઇંગ્લેંડ પ્રવાસ માટે BCCI એ શુક્રવારે ભારતીય ટીમ (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેડ સામે દમદાર પ્રવાસ ખેલાડીઓ પર પસંદગીકારોએ ભરોસો દર્શાવ્યો છે. ટીમમાં કોઇ નવા ચહેરા ખાસ સામેલ કરવામાં આવ્યા નથી. આઇપીએલ 2021 માં પોતાની ધમાકેદાર બેટીંગ થી સૌને પ્રભાવિત કરનારા પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં પોતાનુ મેળવવા થી નિષ્ફળ રહ્યો છે. જાણકારી મુજબ પૃથ્વી શો (Prithvi Shaw) પસંદગીકારોની નજરમાં પુરી રીતે ફીટ નથી. ટીમ ઇન્ડીયામાં પસંદ થવા માટે પોતાનુ વજન ઓછુ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
મિડીયા રિપોર્ટસ મુજબ બીસીસીઆઈ એ પૃથ્વી શો ને તેનુ વજન ઓછુ કરવા માટે કહેવામાં આવ્યુ છે. તેના બાદ જ શો ની પસંદગી થઇ શકે છે. બીસીસીઆઇ ના એક સુત્રએ જણાવ્યુ હતુ કે, પૃથ્વી વિકેટોની વચ્ચે 21 વર્ષની ઉંમર ના મુજબ હજુ પણ ખૂબ સ્લો છે. તેનુ વજન કેટલાક કિલો ઓછુ કરવાની જરુર છે.
ઓસ્ટ્રેલીયામાં ફિલ્ડીંગ કરવા સમયે તેની સાથે તે ફોકસ નહી કરી શકવાની પણ સમસ્યા રહી હતી. ઓસ્ટ્રેલીયા થી આવવા બાદ પૃથ્વી ખૂબ મહેનત પણ કરી રહ્યો છે. તેની સામે ઋષભ પંતનુ ઉત્તમ ઉદાહરણ સામે જ છે. જો પંત કેટલાક મહિનામાં સુધારો કરી શકતો હોય તો પૃથ્વી પણ તેમ કરી શકે છે.
બીસીસીઆઇ એ આઇપીએલ 2020 માં ખરાબ પ્રદર્શન બાદ ઋષભ પંતને પણ વજન ઓછુ કરવા માટે સલાહ આપી હતી. તેને પણ ફિટ થવા માટે કહેવામાં આવ્યુ હતુ. બીસીસીઆઇ ના સુત્રોએ કહ્યુ કે, પૃથ્વી શો પોતાના શાનદાર ફોર્મને કેટલીક ટુર્નામેન્ટમાં જારી રાખવુ પડશે. તેમણે કહ્યુ હતુ કે, પૃથ્વી એક શાનદાર ખેલાડી છે અને તેને વધારે સમય નજર અંદાજ રાખી શકાય એમ નથી. દિલ્હી કેપિટલ્સ તરફ થી રમતા શો એ 8 મેચમાં 308 રન કર્યા હતા. આ પહેલા વિજય હજાર ટ્રોફીમાં પણ શોએ 800 થી વધારે રન કર્યા હતા.