BCCI: ડબલ્યુવી રમનને કોચ પદે યથાવત નહી રાખવાને લઇને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી નારાજ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women's cricket team) ના કોચ પદેથી ડબલ્યુવી રમન (WV Raman) ને રિટેન નહી કર્યા બાદ વિવાદ વકરવા લાગ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women’s cricket team) ના કોચ પદેથી ડબલ્યુવી રમન (WV Raman) ને રિટેન નહી કર્યા બાદ વિવાદ વકરવા લાગ્યો છે. પહેલા કોચ રમને પત્ર લખીને કેટલીક બાબતો પર BCCI નું ધ્યાન દોર્યું હતું, ત્યારબાદથી જ જાણે કે રમનને લઇને વિવાદ વર્તાવા લાગ્યો હતો. હવે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પોતે જ કોચ પદે રમનને રિટેન નહી કરવાને લઇને નારાજ વર્તાઇ રહ્યા છે.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચના રુપમાં રમનને રિટેન નહી કરવાને લઇને, આંતરિક રુપે આ મુદ્દાને ઉઠાવ્યો છે. ક્રિકેટ સલાહકાર સમિતિ એ કોચ પદે રમનને લઇને વિચાર શુદ્ધ કર્યો નહોતો. તેમના સ્થાને રમેશ પવારને કોચ તરીકે પસંદ કરી લેવામાં આવ્યા હતા. બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ જોકે પવારની પસંદગીને લઇને કંઇ કહ્યુ નથી, જોકે આ બાબતે તેમણે આશ્વર્ય જરુર દર્શાવ્યું હતું.
તેમણે આશ્વર્ય દર્શાવતા ગાંગુલીએ બતાવ્યું હતું કે, એક કોચ, જેણે ટીમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડી હતી. તેમને પદ પર યથાવત નથી રાખવામાં આવ્યા. એ વાત પણ સામે આવી હતી કે, ટીમના કેટલાક વરિષ્ઠ સભ્યોને કથિત રીતે કોચ રમન સંદર્ભે ફરીયાદ કરી હતા.
બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી એક સમયે તેઓ પોતે પણ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય હતા. તેમને લાગ્યુ હતું કે, ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન રમન સાથે રહેવાની જરુર હતી. રમનના કોચ રહેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2020 માં ઓસ્ટ્રેલીયામાં રમાયેલા T20 વિશ્વકપ ફાઇનલ માટે ક્વોલીફાઇ થઇ હતી.
જોકે મહિલા ક્રિકેટ સાથે જોડાયેલ કેટલાકનુ કહેવું છે કે, ગાંગુલીએ મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા નાઇકની સમિતિના નિર્ણયનું સન્માન કરવું જોઇએ. તો મહિલા ક્રિકેટ સાથે જોડાયેલ બીસીસીઆઇ સુત્રનું કહેવુ છે કે, સલાહકાર સમિતિ એક સ્વતંત્ર બોડી છે તે ગાંગુલીને જાણ હોવી જોઇએ. આ દરમ્યાન હવે મહિલા ખેલાડીઓના કોન્ટ્રાક્ટને લઇ પણ વિવાદ શરુ થયો છે.