આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે

કોરોના વાઈરસ મહામારીને લઈને લાંબા સમયથી ભારતમાં કોઈ ક્રિકેટ સીરીઝ યોજી શકાઈ નથી. સાઉથ આફ્રીકા સામેની ઘરેલુ મેદાન પર યોજાનારી સીરીઝ પણ આ જ કારણે રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન થવાને લઈને કોઈપણ મેચનું આયોજન પણ થઈ શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે […]

આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 08, 2020 | 7:15 PM

કોરોના વાઈરસ મહામારીને લઈને લાંબા સમયથી ભારતમાં કોઈ ક્રિકેટ સીરીઝ યોજી શકાઈ નથી. સાઉથ આફ્રીકા સામેની ઘરેલુ મેદાન પર યોજાનારી સીરીઝ પણ આ જ કારણે રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન થવાને લઈને કોઈપણ મેચનું આયોજન પણ થઈ શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલની માફક જ યુએઇમાં રમતનું આયોજન કરી શકાય છે. ભારતીય ક્રિકેટ ફેન્સના માટે એક સારા સમાચાર છે કે બીસીસીઆઈ એ પ્રયાસમાં છે કે ઈંગ્લેન્ડ સામેની સીરીઝ યુએઈને બદલે ભારતમાં જ યોજવામાં આવે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ તથા પાંચ ટી20 મેચ રમાનારી છે. એક અહેવાલ મુજબ ઈસીબી અને બીસીસીઆઈ પ્રવાસને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. સલાહ પણ આપવામાં આવી રહી છે કે કોઈ એક જ વેન્યુ અથવા તેના આસપાસના શહેરોમાં જ રમતનું આયોજન કરવામાં આવે. જો કે સમાચારોની વાતને માનીએ તો બીસીસીઆઈ તેને વધારે શહેરોમાં આયોજીત કરવાની તૈયારીઓ કરી રહ્યુ છે. સીરીઝની કેટલીક મેચ અમદાવાદના નવા મોટેરા સ્ટેડીયમમાં આયોજીત કરવામાં આવી શકે છે. મોટેરા સ્ટેડીયમ હાલમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. ટેસ્ટ સીરીઝ ફેબ્રુઆરીમાં રમાનારી છે, વન ડે અને ટી20 સીરીઝ માર્ચ માસમાં રમાશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પહેલા જ કહી ચુક્યા છે કે, ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે અને પાંચ ટી20 માટે ભારતનો પ્રવાસ કરી રહ્યો છે. બાઈલેટરલ સીરીઝ કરવી ખૂબ આસાન છે, કારણ કે તેમાં લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે આઠ, નવ કે દશ ટીમ હોય તો એ મુશ્કેલ બની જાય છે. આગળના વર્ષે ભારતે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ કરવાનો છે. ટીમ ઇન્ડીયા ઈંગ્લેન્ડ પ્રવાસનો પુર્ણ કાર્યક્રમ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જારી કરી ચુક્યો છે. ભારતને આગળના વર્ષે ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. પ્રવાસ દરમ્યાન શરુઆત ભારતીય ટીમ ટ્રેંટ બ્રિઝ ટેસ્ટથી 4 ઓગષ્ટથી કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો



        

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">