કોરોનાએ દીધો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , BCCIએ રદ્દ કરી બે દેશો સાથેની સિરીઝ
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 […]
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 ઓગસ્ટથી રમાવવાની હતી.
શ્રીલંકાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો જૂન-જુલાઇમાં પ્રવાસ હવે શેડ્યૂલ મુજબ આગળ વધશે નહિ. અમને BCCI દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે અત્યારે પ્રવાસ કરવો સુરક્ષિત નથી.” તેથી ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને T-20 સીરિઝ રમી શકશે નહીં. જોકે, પ્રવાસ રદ કરવામાં આવ્યો નથી. જોકે સરકારની મંજૂરી બાદ જ ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે માહિતી અનુસાર, સરકારની મંજૂરી મળે તો ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરી શકે છે. BCCIએ આ માહિતી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ઈ-મેલ પર આપી હતી.
આ સીરિઝ અગાઉ જ રદ્દ થાય તેવી અપેક્ષા હતી કારણકે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી નથી. અને પ્રેક્ટિસ શરૂ થયા પછી પણ ખેલાડીઓ મેચ ફિટનેસ મેળવવા માટે ચારથી છ અઠવાડિયા લેશે. હાલમાં વિદેશ યાત્રા પર પણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ શક્ય ન હતો.