BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત

ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ  હોવાનું પણ સામે આવ્યુ છે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ […]

BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:58 PM

ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ  હોવાનું પણ સામે આવ્યુ છે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલા સુત્રો દ્વારા જ સામે આવી છે. શરુઆતમાં જ સીએસકેના 13 સભ્યોને કોરોના પોઝિટીવ હોવાની ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મુશ્કેલી અનુભવી રહ્યુ હતુ.

corona ne lai BCCI e Indian Players mate jahaer kari margdarshika ajanaya phone thi anyaa loko sathe selfie na leva no aadesh

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યાં જ હવે ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મેડીકલ ટીમના જ સભ્ય જ કોરોનાની ઝપેટમાં આવતા પરેશાની વધી ચુકી છે. આટલુ જ નહીં પરંતુ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના પણ બે સભ્યો પણ કોરોના સંક્રમિત મળ્યા છે. બોર્ડના સુત્રો દ્વારા જાણકારી મળી આવી હતી કે પોતાની ટીમના સભ્યને કોરોના પોઝિટીવ છે. બીસીસીઆઈ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે, મેડીકલ ટીમના સભ્યને કોરોના પોઝિટીવ હોવાની વાત સાચી છે, પરંતુ આ કોઈ મુદ્દો નથી કારણ કે સિનીયર મેડીકલ ઓફીસર સંક્રમિત થયા છે. પરંતુ તેમને આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા છે. તેઓ કોઈના સંપર્કમાં નથી રહ્યા અને તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આશા છે કે હવે પછી તેમના કોરોના અંગેના પરીક્ષણમાં તેઓનો રીપોર્ટ નેગેટીવ આવી જાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડેમીના પણ બે સભ્યો છે કે જેઓ પણ કોરોના સંક્રમિત હોવાનો રીપોર્ટ આવ્યો છે અને તેમને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 9, સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં આઈપીએલ રમાનારી છે. આના પહેલા જ આઈપીએલમાં 14 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે.  જો કે સીએસકેના તમામ સભ્યો પહેલાથી જ કોરોના અંગેના ટેસ્ટમાં નેગેટીવ આવ્યા છે, પરંતુ આમ છતાં પણ વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની સામે ચિંતા વર્તાઈ રહી છે. મોટેભાગે કોરોનાથી સંક્રમિત થયેલા જે પણ સભ્યો સામે આવ્યા છે. તેઓમાં કોઈપણ પ્રકારના લક્ષણો કોરોના અંગેના સામે આવ્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">