SEBI એ GoAir IPO 90 દિવસ માટે અટકાવ્યો , જાણો શું છે કારણ ?

સેબી વેબસાઇટએ સોમવારે જાહેર કર્યું છે કે હવે GoFirst નામથી GoAir દ્વારા રજૂ કરાયેલ IPO હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

SEBI એ GoAir IPO 90 દિવસ માટે અટકાવ્યો  , જાણો શું છે કારણ ?
GOAIR IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 7:56 AM

બોમ્બે ડાઇંગ(Bombay Dyeing) મેન્યુફેક્ચરીંગ કંપની લિમિટેડ અને તેના પ્રમોટર્સ વાડિયા(Wadia) વિરુદ્ધ પેન્ડિંગ તપાસને કારણે Go Airlines (India)લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ અસ્થાયીરૂપે અટકાવી દીધી છે.

સેબી વેબસાઇટએ સોમવારે જાહેર કર્યું છે કે હવે GoFirst નામથી GoAir દ્વારા રજૂ કરાયેલ IPO હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

બોમ્બે ડાઇંગ અને તેના પ્રમોટર્સને કથિત ગેરરીતિ બદલ જૂનના પહેલા અઠવાડિયામાં નિયમનકારના કોર્પોરેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિગેશન વિભાગ (CFID) તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું.CFID લિસ્ટેડ કંપનીઓમાં છેતરપિંડી, ડાયવર્ઝન અથવા ભંડોળની ઉંચાપત અંગે પ્રારંભિક અને વિગતવાર તપાસ કરે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

GoAir એ 13 મી મેના રોજ નવા શેર વેચાણ દ્વારા 3,600 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. બોમ્બે ડાઇંગના અધ્યક્ષ નુસલી વાડિયા અને પ્રમોટર સંસ્થાઓની હિસ્સેદારી 96.85 ટકા છે.

“સેબીની આંતરિક નીતિ મુજબ જો નિયમનકારનો એક વિભાગ કોઈ કેસની તપાસ કરે છે તો DRHP માટે અરજી કરનાર સંબંધિત કંપનીને 90 દિવસ સુધી મંજૂરી મળી શકે નહીં , જે વધુ 45 દિવસ સુધી લંબાવી શકે છે,” આ માહિતી ક્ષેત્રના જાણકારો દ્વારા અપાઈ છે.

GoAirના પ્રવક્તાએ મામલે કહ્યું હતું કે કંપનીને “સેબી તરફથી કોઈ જાણકારી મળી નથી.” બોમ્બે ડાઇંગે કહ્યું: “કંપનીની પોલિસી અનુસાર અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.”

GoAir એવા સમયે નાણાં એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જ્યારે ઉડ્ડયન ઉદ્યોગ તેના સૌથી કપરા પડકારનો સામનો કરી રહ્યો છે. જોકે, COVID-19 પહેલા પણ કંપનીને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ડીઆરએચપી મુજબ કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષથી નુકસાન કર્યું હતું. 31 ડિસેમ્બર, 2020 ના અંતે કંપનીનું રૂ 7346 કરોડનું દેવું હતું અને 1,961 કરોડનું નેગેટિવ નેટવર્થ હતું. કંપની આઈપીઓના પૈસાનો ઉપયોગ દેવું ચુકવવા સહિતના ઉપયોગ માટે કરવા માંગે છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">