મંગળના રાશિ પરિવર્તનને કારણે કોની પરેશાનીઓ વધશે અને કોણ થશે ધનવાન ?

આજે મંગળ ગ્રહ જેને ભૂમિપુત્ર કહેવામાં આવે છે તે તેની મેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મંગળનું આ રાશિ પરિવર્તન કોના માટે શુભ સાબિત થશે અને કોના માટે તે જાણવા માટે આ લેખ અવશ્ય વાંચો.

મંગળના રાશિ પરિવર્તનને કારણે કોની પરેશાનીઓ વધશે અને કોણ થશે ધનવાન ?
Mars
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 5:34 PM

જ્યોતિષશાસ્ત્રમાં મંગળ(Mars), જેને ભૂમિપુત્ર કહેવામાં આવે છે, તે બુધવારે 10 ઓગસ્ટ 2022ના રોજ 09:43 વાગ્યે તેની મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 14 ઓક્ટોબર 2022 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને અગ્નિ તત્વનો કારક માનવામાં આવે છે. તે ઉત્સાહ, બહાદુરી, શક્તિનું પરિબળ પણ માનવામાં આવે છે. ઉત્તરાખંડ જ્યોતિષ પરિષદના પ્રમુખ અને જાણીતા જ્યોતિષ પંડિત રમેશ સેમવાલના જણાવ્યા અનુસાર મંગળના આ પરિવર્તનને કારણે જ્યાં અંગારક યોગ સમાપ્ત થશે ત્યાં દેશ અને દુનિયામાં હલચલ મચી જશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના દૃષ્ટિકોણથી 12 રાશિઓ માટે મંગળનું વૃષભ રાશિમાં કેવું રહેશે ગોચર, ચાલો જાણીએ પંડિત રમેશ સેમવાલ પાસેથી.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે વૃષભમાં મંગળનું ગોચર અશુભ સાબિત થઈ શકે છે. મંગળના આ પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને ખર્ચમાં વધારો થશે. આ દરમિયાન, તેઓએ તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. જો કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થશે.

ઉપાયઃ મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે રોજ હનુમાનજીની પૂજા કરો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વૃષભ રાશિ

મંગળનું ગોચર વૃષભ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક છે. મંગળ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન, કારકિર્દી અને વ્યવસાયમાં સારી સફળતાની તકો રહેશે. અધૂરાં કાર્યો પૂરાં થશે અને શત્રુની અડચણો દૂર થશે.

ઉપાયઃ- હનુમાનજીની દરરોજ લાલ ફૂલ ચઢાવીને પૂજા કરો.

મિથુન રાશિ

મંગળની રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિ પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. કામમાં અડચણો આવી શકે છે. આ સમય દરમિયાન દલીલો ટાળો. જીવન સંબંધિત કોઈ સમસ્યાને લઈને મન ચિંતિત રહેશે.

ઉપાયઃ મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે રોજ હનુમાનજીની પૂજા કરો.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોને તેમના કાર્યમાં ઈચ્છિત સફળતા મળશે. વેપારમાં લાભ થશે. સંચિત સંપત્તિમાં વધારો થશે.

ઉપાયઃ- હનુમાનજીની પૂજામાં દરરોજ ચાલીસાનો પાઠ કરો.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે મંગળનું સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન ઇચ્છિત નાણાકીય લાભ થશે. જીવન સંબંધિત કોઈ મોટી સમસ્યા દૂર થશે. વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

ઉપાયઃ– દરરોજ સૂર્યદેવની પૂજા કરો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને મંગળના રાશિ પરિવર્તનથી લાભ થશે. આ દરમિયાન તમને સમાજમાં માન-સન્માન મળશે. ઇચ્છિત ધન પ્રાપ્ત થશે. વેપારમાં પ્રગતિ થશે.

ઉપાયઃ- નિયમ પ્રમાણે દર મંગળવારે વ્રત રાખો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં મંગળનું ગોચર વેપારમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન જીવન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. પૈસાથી ફાયદો થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. જો કે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

ઉપાયઃ– મંગળવારે હનુમાન મંદિરમાં સિંદૂર ચઢાવો અને ચાલીસાનો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનું પરિવર્તન લાભદાયી સાબિત થશે, પરંતુ સાથે જ તેમના ગુસ્સામાં પણ વધારો થશે. જેના કારણે તેમના જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું પડશે.

ઉપાયઃ– હનુમાનજીની પૂજામાં દરરોજ બજરંગ બાણનો પાઠ કરો.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે અને તેમના જીવન સાથે જોડાયેલા શત્રુઓ અને રોગો દૂર થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઇચ્છિત નાણાકીય લાભ થશે. જીવનમાં સુખ-શાંતિ રહેશે.

ઉપાયઃ- દર મંગળવારે ગોળ, લાલ વસ્ત્ર વગેરેનું દાન કરો.

મકર રાશિ

મંગળની રાશિ પરિવર્તનને કારણે મકર રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થશે. જો કે, વધતા ક્રોધને કારણે વિવાદ થવાની સંભાવના રહેશે. તેથી ગુસ્સો કરવાનું ટાળો. તમને ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે.

ઉપાયઃ હનુમાનજીની પૂજા કરો અને દરરોજ તેમની ચાલીસાનો પાઠ કરો.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે મંગળનું ગોચર વૃષભ રાશિમાં શુભ સાબિત થશે અને ધનલાભના યોગ બનશે. જમીન મકાનમાં લાભ થશે. જો કે, આ સમય દરમિયાન, કોઈની સાથે વાત કરવામાં સાવચેત રહો અને વાદ-વિવાદ ટાળો. બિનજરૂરી રીતે લાંબી મુસાફરી ન કરો અને કાળજીપૂર્વક વાહન ચલાવો.

ઉપાયઃ– હનુમાનજીની પૂજા કરવા માટે દરરોજ સુંદરકાંડનો પાઠ કરો.

મંગળના રાશિ પરિવર્તનને કારણે મીન રાશિના લોકોને તેમના ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ અને લાભ મળશે. આ સમય દરમિયાન વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા મળવાની શક્યતાઓ રહેશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ બની રહેશે. ઇચ્છિત નાણાકીય લાભ થશે.

ઉપાયઃ- મંગળવારે હનુમાનજીની પૂજા કરીને લોકોને બુંદીનો પ્રસાદ વહેંચો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">