Rahukaal Timings : જાણો આવતીકાલનો રાહુકાળના સમય, રાહુકાળ દરમિયાન સારા કામ ન કરવા
રાહુકાળમાં શુભ કાર્યો ન કરવા જોઇએ, કહેવાય છે કે રાહુકાળને દિવસન સૌથી પ્રતિકુળ સમય ગણવામાં આવે છે. આ સમયમાં કરેલા કામના સફળ થવાની શક્યતા ઘણી ઓછી હોય છે, જાણો તમારા શહેરમાં રાહુકાળ ક્યારે છે.
રાહુકાળ દિવસ(Rahukaal)નો સૌથી પ્રતિકૂળ સમય છે, આ સમયે કરવામાં આવેલ કાર્ય સાનુકૂળ પરિણામ આપતા નથી. દરરોજ ગ્રહોના ગોચર(Pastures of the Planets)માં તમામ ગ્રહો માટે એક નિશ્ચિત સમય હોય છે, તેવી જ રીતે રાહુનું પણ દિવસ દરમીયાન ગોચર આવે છે જેને રાહુકાળ કહેવામાં આવે છે.
રાહુકાળ સમય
રાહુ કાળ ક્યારેય દિવસના પહેલા ભાગમાં આવતો નથી. તે ક્યારેક બપોરે આવે છે, ક્યારેક સાંજે અને સૂર્યાસ્ત પહેલા પડી જાય છે. રાહુકાળ ક્યારેય રાત્રે આવતો નથી.
રાહુકાલનો સમય કેવી રીતે જાણવો
રાહુકાળ શોધવા માટે જ્યોતિષમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે. આ મુજબ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના આખા દિવસને આઠ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. તેનો પ્રમાણભૂત સમય સવારે 6 વાગ્યે સૂર્યોદય અને સાંજે 6 વાગ્યે સૂર્યાસ્તનો છે. તો સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો સમય 12 કલાકનો થાય.
જો તમે આ 12 કલાકને 8 સમાન ભાગોમાં વહેંચો તો એક ભાગ લગભગ દોઢ કલાક થાય છે. જ્યોતિષીઓ હંમેશા શુભ સમયની ગણતરી કરતી વખતે આ 90 મિનિટને છોડી દે છે. અલગ-અલગ સ્થળોએ સૂર્યોદય અને સૂર્યાસ્તના અલગ-અલગ સમયને કારણે આ સમયમાં થોડી મિનિટોનો તફાવત હોઈ શકે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.