AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: કાર્યસ્થળે વધુ મહેનત કરવાથી કામ પૂરા થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશનના સારા સમાચાર મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. પ્રેમ સંબંધોમાં પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.

સિંહ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, પ્રમોશન મળવાની શક્યતા
Leo
| Updated on: Jan 04, 2024 | 6:05 AM
Share

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

સિંહ રાશિ

આજે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. વ્યવસાયિક યાત્રા સફળ અને લાભદાયક રહેશે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થશે. વધુ મહેનત કરવાથી કામ પૂરા થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં અન્ય લોકો તરફથી બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ધ્યાનથી કામ કરો. તમારા સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો. વેપાર કરનારા લોકોને સામાન્ય લાભની તકો મળશે. નોકરીમાં પ્રમોશનના સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. કેટલાક જૂના વિવાદમાંથી તમને રાહત મળશે.

આર્થિક – અટકેલા નાણાં પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો. ભાવનાત્મકતા ટાળો. મિલકતના ખરીદ-વેચાણ માટે યોજના બનાવવામાં આવશે. ધીરજથી નિર્ણયો લો. વધુ પડતી ઉતાવળ ટાળો. તમે જૂના વાહનને જોઈને નવું વાહન ખરીદી શકો છો.

ભાવનાત્મક – પ્રેમ સંબંધોમાં પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. મનમાં પ્રસન્નતા વધશે. વિવાહિત જીવનમાં પતિ-પત્ની વચ્ચે મતભેદો વધવાથી દાંપત્ય જીવનની ખુશીઓ ઓછી થઈ શકે છે. તમારા બાળકની ખરાબ ટેવોને કારણે તમારે અપમાનિત થવું પડી શકે છે. મિત્રો સાથે પર્યટન સ્થળો પર જવાની તક મળશે.

સ્વાસ્થ્ય – મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની સાવચેતી રાખો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. તમારી જીવનશૈલીને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરો. ખાણીપીણીની વસ્તુઓમાં સાવધાની રાખો. પૂરતી ઊંઘ લો. કસરત કરતા રહો.

ઉપાય – આજે ગરીબોને દાન કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">