BCCI પુલવામા શહીદોના પરિવારને વધુ એક મદદ કરશે, IPLના ઉદ્ધાટન સમરોહમાં પણ જોવા મળશે તેની અસર
ભારતમાં ક્રિકેટની દિવાનગી એક હદ્દ કરતાં વધુ છે. જેને જોતાં તેને હવે દેશના સુરક્ષા જવાનોને મદદ કરવામાં પણ પાછળ નથી રહેવા માંગતું. BCCIએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં BCCIના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ […]
ભારતમાં ક્રિકેટની દિવાનગી એક હદ્દ કરતાં વધુ છે. જેને જોતાં તેને હવે દેશના સુરક્ષા જવાનોને મદદ કરવામાં પણ પાછળ નથી રહેવા માંગતું. BCCIએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહીં BCCIના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચ રમાશે. BCCIના અધિકારીએ કહ્યું કે, સીઓએએ આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : ગોવાના મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતિ નાજુક, સંકટમાં ગોવા સરકાર, ભાજપે પણ યોગ્ય વિકલ્પ શોધવાની શરૂ કરી તૈયારી
આ તરફ BCCIએ પહેલાં જ સીઓએએ આઈપીએલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરી તેની રકમ આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે, આઈપીએલના ઉદ્ઘાટન સમરોહનું ગત વર્ષે બજેટ 15 કરોડ રૂપિયા આસપાસ હતું. હવે નિર્ણય કરાયો છે કે, BCCI આ રકમ વધારી રૂ. 20 કરોડ રૂપિયા આપશે.
IPL-2019ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ વર્ષની પહેલી મેચના શરૂઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને મેચમાં હાજર રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]