ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કરી તાત્કાલિક બેઠક
ભારત તરફથી પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક બેઠક પણ બોલાવી લીધી છે. પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેના બોર્ડર પાર કરીને POKમાં ઘુસ્યા હતા પણ કોઈ નુકસાન નથી થયું. ભારતીય વાયુસેનાએ બધી જ બોર્ડર પર હાઈએલર્ટ આપી દીધું છે. વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય […]
ભારત તરફથી પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક બેઠક પણ બોલાવી લીધી છે.
પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેના બોર્ડર પાર કરીને POKમાં ઘુસ્યા હતા પણ કોઈ નુકસાન નથી થયું. ભારતીય વાયુસેનાએ બધી જ બોર્ડર પર હાઈએલર્ટ આપી દીધું છે. વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદો અને LOCની સાથે સાથે બધી જ વાયુસેના સિસ્ટમને હાઈ એલર્ટ પર રાખ્યા છે.
Radio Pakistan: Pakistan Foreign Minister Shah Mahmood Qureshi has summoned an emergency meeting in Islamabad, Pakistan. The meeting will discuss the security situation. (File pic) pic.twitter.com/G2pPKna28u
— ANI (@ANI) February 26, 2019
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો. રાત્રે લગભગ 3.30 વાગે એકસાથે 12 મિરાજ-2000 ફાઈટર વિમાનોએ આતંકીઓના મોટા ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેને પૂરી રીતે તબાહ કરી દીધા. ભારતીય વાયુસેનાના વિમાનોએ રાત્રે જૈશના આતંકી કેમ્પો પર લગભગ 1000 કિલો બોમ્બ નાખ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]