West Bengal Election 2021: મમતા બેનર્જીને મોટો આંચકો, ટિકિટ આપ્યા બાદ પણ સરલા મુર્મુએ છોડી ટીએમસી, હવે ભાજપ બનાવશે ઉમેદવાર

West Bengal Election 2021 : ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.

West Bengal Election 2021: મમતા બેનર્જીને મોટો આંચકો, ટિકિટ આપ્યા બાદ પણ સરલા મુર્મુએ છોડી ટીએમસી, હવે ભાજપ બનાવશે ઉમેદવાર
West Bengal Elections
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 08, 2021 | 2:12 PM

West Bengal Election 2021 : રાજકારણમાં કોઇ કોઈનું સગું નથી. તેમજ રાજકારણમાં ક્યારે શું બનશે તેની કોઇને ખબર નથી. તેનું તાજું ઉદાહરણ West Bengal ના રાજકારણમાં જોવા મળે છે. જેમાં ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.

ટીએમસીમાં ટિકિટ મળવા છતાં પાર્ટી છોડવાનો પ્રથમ  કેસ

સરલા મુર્મુને ટીએમસીમાંથી હબીબપુર મત વિસ્તારથી ટિકિટ મળી હોવા છતાં ભાજપમાં જોડાશે. ટીએમસીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે હબીબપુર વિધાનસભા બેઠક માટેના પોતાના ઉમેદવારને બદલી રહી છે. કારણ કે સરલા મુર્મુની તબિયત નબળી છે. ટીએમસી માટે આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ ટિકિટ મળવા છતાં પાર્ટી છોડી દીધી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ટીએમસીએ હવે પ્રદીપ બાસ્કીને નવા ઉમેદવાર બનાવ્યા છે

ટીએમસીએ હવે પ્રદીપ બાસ્કીને હબીબપુર બેઠક પરથી નવા ઉમેદવાર બનાવ્યા છે. માલદા જિલ્લામાં 26 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થશે. માલદા જિલ્લામાં 12 વિધાનસભા બેઠકો છે. 2019ની ચૂંટણીમાં આ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસનો માહોલ હતો અને ભાજપના ખાતામાં 2 બેઠકો હતી. કોંગ્રેસે મહત્તમ 8 બેઠકો જીતી હતી. બેઠકોની દ્રષ્ટિએ ભાજપ બીજા સ્થાને રહી હતી. સીપીઆઈ (એમ) અને અપક્ષોએ એક-એક બેઠક જીતી હતી.

294 માંથી 291 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત

આ ચૂંટણીમાં ટીએમસીએ ઉમેદવારોમાં અનેક હસ્તીઓ, મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટીએ 294 માંથી 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમજ સાથી પક્ષોને ત્રણ બેઠકો આપી છે.

કેટલાં તબક્કામાં બંગાળની કેટલી બેઠકો પર ચૂંટણી?

West Bengal  માં પ્રથમ તબક્કામાં 27 માર્ચે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 31 એપ્રિલે 31 બેઠકો, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો, 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર, 26 મી એપ્રિલના રોજ સાતમા તબક્કામાં 36 બેઠકો પર અને 29 એપ્રિલના રોજ આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">