West Bengal : સૌરવ ગાંગુલીને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, રાજકીય અટકળો તેજ

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને જન્મ દિવસે પુષ્પગુચ્છ અને કેકની ભેટ આપી હતી. મુખ્યમંત્રીની સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ બની છે.

West Bengal : સૌરવ ગાંગુલીને જન્મદિનની  શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, રાજકીય અટકળો તેજ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સૌરવ ગાંગુલીને જન્મ દિવસની ઘરે જઇને શુભેચ્છા પાઠવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 7:18 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી( Sourav Ganguly)ગુરુવારે તેમનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે આ દરમ્યાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તેમના ઘરે પહોંચ્યા અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee)એ સૌરવ ગાંગુલીને પુષ્પગુચ્છ અને કેકની ભેટ આપી હતી. મુખ્યમંત્રીની સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ બની છે.

સૌરવ ગાંગુલી( Sourav Ganguly)નો જન્મ 8 જુલાઈ 1972ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં થયો હતો અને તે બંગાળના મહારાજા તરીકે પણ જાણીતા છે. ગુરુવારે ક્રિકેટ જગતના અન્ય લોકો સવારથી સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર અભિનંદન પાઠવી રહ્યા હતા.

સૌરવ ગાંગુલીની મમતા બેનર્જી સાથે લાંબી મિત્રતા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા પછી મમતા બેનર્જી ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા છે. રાજ ભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં અન્ય આમંત્રિત મહેમાનોમાં સૌરવ ગાંગુલીનું નામ પણ શામેલ હતું. આ શપથ સમારોહમાં સૌરવ ગાંગુલી પણ હાજર રહ્યા હતા. સૌરવ ગાંગુલીની મમતા બેનર્જી સાથે લાંબી મિત્રતા છે. મમતા બેનર્જીએ એકેડેમી બનાવવા માટે ન્યુટાઉનમાં સૌરવ ગાંગુલીને જમીન પણ ફાળવી હતી. જો કે આ જમીન ગાંગુલીએ પરત આપી હતી.

ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાવાની અટકળો હતી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરવ ગાંગુલી લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યા હતા. તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને ભાજપ માટેના પ્રચારમાં ભાગ લેશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેમણે પોતાને રાજકારણથી દૂર રાખ્યા અને ભાજપ અથવા અન્ય કોઈ પક્ષ સાથે સક્રિય રીતે દેખાયા નહીં અને ના તો ટીએમસી માટે પ્રચાર કર્યો. જોકે તેમની સાથે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી વિશે પણ અટકળો ચાલી રહી હતી. તેઓ ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો :  Monsoon Alert : દેશના આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા પહોંચ્યું ચોમાસુ

આ પણ વાંચો :  eNAM-રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના શું છે ? ખેડૂતો તેનો લાભ કેવી રીતે લઈ શકે છે ? જાણો તમામ વિગતો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">