મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

મમતા બેનર્જી અને સોનિયા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ઉપરાંત વિપક્ષી એકતા મજબૂત કરવાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઇરાદાથી આ બેઠક યોજી હોય તેવુ લાગી રહ્યું છે.

મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:07 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) બુધવારે એટલે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરી. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હતી.

આ બેઠક સાંજે સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ ખાતે બન્ને વચ્ચે મુલાકાત યોજાઈ. જેમાં રાહુલ ગાંધી પણ જોડાયાં હતા. આ બેઠક બાદ મમતાએ કહ્યું હતું કે, “ભાજપ નિશ્ચિત  એક  મજબૂત પાર્ટી છે. તેના કરતાં વિપક્ષ વધુ મજબૂત હશે. આશા છે કે 2024 માં વિપક્ષ ઇતિહાસ રચશે. વિપક્ષમાં એકતા હોવી જોઈએ.

મમતા બેનર્જી સોમવારથી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર આવ્યા છે. તેઓ ગઈકાલ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને તેમના સરકારી  નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા. વડાપ્રધાન સાથે આ તેમની સૌજન્ય મુલાકાત હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન તેમણે કોરોના અને રાજ્યમાં વધારે રસી તેમજ દવાઓની જરૂરીયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રાજ્યનું નામ બદલવાનો બાકી રહેલો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાને પેગાસસ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ મુદ્દાની તપાસ થવી જોઇએ.

મમતા બેનર્જીએ મંગળવારે કોંગ્રેસના નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જીને મળ્યા પછી આનંદ શર્માએ કહ્યું હતું કે મમતા બેનર્જી અને તેમના વચ્ચે ગાઢ સંબંધ છે કેમ કે બંનેએ વર્ષો સુધી સાથે કામ કર્યું છે. તેમણે ચૂંટણીમાં જીત બદલ મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી.મમતા પહેલીવાર દિલ્હી આવ્યા છે, તેથી તેઓ પણ તેમની સાથે ચા પીવા માટે દિલ્હી આવ્યા હતાં.

મમતા બેનર્જી અને સોનિયા ગાંધીની બેઠક કેમ હતી મહત્વપૂર્ણ 

મમતા બેનર્જી અને સોનિયા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ઉપરાંત વિપક્ષી એકતા મજબૂત કરવાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઇરાદાથી આ બેઠક યોજી હતી. ટુકમાં સંસદની અંદર અને સંસદની બહાર કેન્દ્ર સરકારને ઘેરવા માટેની રણનીતિ ઉપર બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

સંસદના ચાલી રહેલા ચોમાસા સત્રની પુ્ર્વભૂમિકામાં આ બેઠક મહત્વની માનવામાં આવી રહી હતી, જ્યાં વિપક્ષે પેગાસસ વિવાદ અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં પસાર થયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને લઈને સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.

તદુપરાંત મમતા બેનર્જી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવાના છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ તેમને મળતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાવવા માટે કહી રહ્યા છે. જો કે તેઓ કોરોના રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">