વિજય રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરી શકે છે, જીતુ વાધાણીનો થઈ શકે છે પ્રધાનમંડળમાં સમાવેશ
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. ગુજરાત ભાજપના પ્રમુખપદનો ભાર હળવો થતા જીતુ વાધાણીના પ્રધાનમંડળમાં પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભૂતકાળમાં પણ એવા અનેક પ્રસંગો બન્યા છે કે, પ્રદેશ પ્રમુખ બનેલ વ્યક્તિઓને રાજ્ય પ્રધાનમંડળમાં અથવા દિલ્લીમાં રાષ્ટ્રીયસ્તરે સ્થાન આપવામાં આવ્યુ છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. ગુજરાત ભાજપના પ્રમુખપદનો ભાર હળવો થતા જીતુ વાધાણીના પ્રધાનમંડળમાં પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભૂતકાળમાં પણ એવા અનેક પ્રસંગો બન્યા છે કે, પ્રદેશ પ્રમુખ બનેલ વ્યક્તિઓને રાજ્ય પ્રધાનમંડળમાં અથવા દિલ્લીમાં રાષ્ટ્રીયસ્તરે સ્થાન આપવામાં આવ્યુ છે.