દિલ્હીના શિક્ષણ નિયામકનો વીડિયો વાયરલ, કહ્યું ‘કંઇ ના આવડે તો જવાબમાં પ્રશ્નો લખો, માર્ક મળશે’
દિલ્હીના શિક્ષણ નિયામકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓને જવાબમાં પ્રશ્નો લખી દેવાનું કહી રહ્યા છે. અને એમ પણ કહી રહ્યા છે કે આના માર્ક્સ મળશે.
દિલ્હીના (Delhi) એજ્યુકેશન ડિરેક્ટર તેના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત રાયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે ‘ના આવડે તો જવાબમાં કંઈ પણ લખી દો’. 12 માં ધોરણના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત રાયે કહ્યું કે “જો પ્રશ્નપત્રમાં કંઈ આવડે નહીં તો જવાબમાં પ્રશ્નો જ લખી દો. મેં મેમ સાથે વાત કરી છે, જો કંઇ પણ લખ્યું હશે તો અમે નંબર આપી દઈશું. અને અમે સીબીએસઈ સાથે પણ વાત કરી છે. ”
શિક્ષણ નિયામકના આ નિવેદન બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. શિક્ષણ નિયામકના નિવેદનને ગેરકાયદે ગણાવતા ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ શિક્ષણ વિભાગની પ્રવૃત્તિઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે નાયબ રાજ્યપાલને કહ્યું છે. આ ઉપરાંત શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી છે.
ये है @ArvindKejriwal शिक्षा मॉडल की हकीकत!
बच्चों को इतनी अच्छी शिक्षा मिल रही है कि शिक्षा मंत्री @msisodia के निदेशक बच्चों से कह रहे हैं कि उत्तर नहीं आता तो पेपर में उत्तर की जगह प्रश्न ही लिख देना, नंबर मिल जाएंगे।
AAP दिल्ली के बच्चों के भविष्य के साथ खिलवाड़ कर रही है। pic.twitter.com/sduqxqYz8f
— Adesh Gupta (@adeshguptabjp) February 18, 2021
આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે દિલ્હીની શિક્ષણ પ્રણાલી સંપૂર્ણ ખોખલી થઈ ગઈ છે. અહીંનાં બાળકો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પાસ થઇ શકાહે એ શંકાનો વિષય છે.
આ સાથે જ દિલ્હી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. દિલ્હી કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, “કેજરીવાલ જી આ તમારું કેવું શિક્ષણ મોડેલ છે? દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત પ્રકાશ બાળકોને જણાવી રહ્યા છે કે પેપરમાં કંઈ ના આવડે તો જવાબોને બદલે પ્રશ્નો જ લખો, અમે સીબીએસઈ સાથે વાત કરી છે. તમને નંબર મળી જશે. બાળકોના ભવિષ્ય સાથે રમવાનું કરવાનું બંધ કરો. “