વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!
કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે. Facebook પર તમામ […]
કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો
બોર્ડરથી લઈને ઉત્તરપ્રદેશમાં સંબંધિત જિલ્લા સુધી મજૂરોને બસ સુધી પહોંચાડવામાં આવશે. ઘરે જતાં પહેલાં શેલ્ટર હાઉસમાં ક્વોરન્ટાઈનના 14 દિવસ સુધી તમામ મજૂરોએ રોકાવાનું રહેશે. ત્યારબાદ મેડિકલ તપાસ કરવામાં આવશે અને તે પછી જ મજૂરોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. જિલ્લા અધિકારીઓને શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શેલ્ટર હોમમાં જમવાથી લઈને તમામ સુવિધા આપવામાં આવશે. આ માટે જવાબદારી કલેકટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ 1 હજાર રુપિયા મજૂરોને આપવામાં આવશે અને તેની સાથે અનાજની કીટ પણ અપાશે તેવી જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે પહેલાં પણ 200 બસ મોકલીને રાજસ્થાનના કોટા શહેરમાંથી વિદ્યાર્થીઓને પરત લાવ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]