Third Front : કોઈપણ વૈકલ્પિક જોડાણ માટે કોંગ્રેસની જરૂર રહેશે: શરદ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું કે રાષ્ટ્રમંચની બેઠકમાં મહાગઠબંધનની ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ જો કોઈ વૈકલ્પિક મોરચો બનાવવો હોય તો તે કોંગ્રેસને સાથે લઇને કરવામાં આવશે.

Third Front : કોઈપણ વૈકલ્પિક જોડાણ માટે કોંગ્રેસની જરૂર રહેશે: શરદ પવાર
શરદ પવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 8:59 AM

એનસીપીના (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, ભાજપ (BJP) સામેની લડત માટે વૈકલ્પિક મોરચામાં કોંગ્રેસની (Congress) જરૂર પડશે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસને આવા મોરચા માટે છોડી શકાય નહીં. તેમનું નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.

આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે, જેને ત્યારબાદ હાલની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે જ આયોજીત કરવામાં આવ્યું હોવાનું કહીને નકારી કાઢવામાં આવી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રમંચની બેઠકમાં મહાગઠબંધનની ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ જો કોઈ વૈકલ્પિક મોરચો બનાવવો હોય તો તે કોંગ્રેસને સાથે લઇને કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમને તે પ્રકારની શક્તિની જરૂર છે. તેમણે કોઈપણ મોરચાને ધ્યાનમાં લેવા ‘સામૂહિક નેતૃત્વ’ કરવાની હાકલ કરી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

દિલ્હીમાં શરદ પવારના ઘરે રાષ્ટ્રમંચની બેઠકને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. તેમાં વિરોધી પક્ષોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. પરંતુ કોંગ્રેસના કોઈ નેતા સામેલ થયા ન હતા. જો કે, મીટિંગમાં કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જે એક મંચ પર સમાન વિચારધાર ધરાવતા પક્ષો અને નેતાઓને લાવવાનું કામ કરશે.

બેઠક બાદ ભારતીય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા નિલોત્પલ બસુએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, ફક્ત બેકારી, ફુગાવા અને પેટ્રોલિયમ પેદાશોના જંગી વધતા ભાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિરીક્ષકોએ કહ્યું કે આ બેઠક નિષ્ફળ ગઈ હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મજીદ મેમને કહ્યું હતું કે, શરદ પવારના ઘરે આ બેઠક યોજવામાં આવી હોવા છતાં તેઓએ બેઠક બોલાવી નથી. આ બેઠક યશવંત સિંહાએ બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ત્રીજા મોરચાની બેઠક છે, પરંતુ તે સાચું નથી. અમે બધા સમાન વિચારધારા ધરાવતા લોકોને બોલાવ્યા હતા અને કોઈપણ પ્રકારનો ભેદભાવ નહોતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">