કોંગ્રેસ વર્કિગ કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીને બદલે પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાનો લખાયેલ પત્ર છવાયો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીનો મુદ્દો એક તરફ રહ્યો પરંતુ કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવા લખેલ પત્રને લઈને વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આ પત્રની સમયમર્યાદાને લઈને પ્રશ્ન ઉભો કર્યો છે. તો સોનિયા ગાંધી સમર્થક નેતાઓએ પત્ર લખનારા નેતાઓની ટીકા કરી છે. કપિલ સિબલે ટવીટ પરત […]

કોંગ્રેસ વર્કિગ કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીને બદલે પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાનો લખાયેલ પત્ર છવાયો
Follow Us:
| Updated on: Aug 24, 2020 | 11:29 AM

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીનો મુદ્દો એક તરફ રહ્યો પરંતુ કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવા લખેલ પત્રને લઈને વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આ પત્રની સમયમર્યાદાને લઈને પ્રશ્ન ઉભો કર્યો છે. તો સોનિયા ગાંધી સમર્થક નેતાઓએ પત્ર લખનારા નેતાઓની ટીકા કરી છે. Sibal withdrew the tweet કપિલ સિબલે ટવીટ પરત ખેચ્યુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી બેઠકમાં અધ્યક્ષની પસંદગી કરવાના બદલે વિવાદ વધુ સર્જાયા છે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીના નેતૃ્ત્વને લઈને કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને લખેલ પત્ર ભાજપના કહેવાથી લખાયો હોવાનો આક્ષેપ કરાયો છે. પત્રને લઈને કરાયેલા આક્ષેપ સંબધે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે વિરોધ નોંધાવ્યો છે. જો કે કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલે કહ્યુ પણ છે કે, રાહુલ ગાંધીએ કોઈ જ ટિપ્પણી કરી નથી. તો કપિલ સિબ્બલે પણ એવુ કહીને ટવીટ પરત ખેચી લીધુ કે રાહુલ ગાંધીએ મને વ્યક્તિગત રીતે તમામ બાબતોથી અવગત કરાયા છે. Ghulam Nabi's changed tune ગુલામનબી આઝાદના બદલાયા સુર, રાહુલ ગાંધીએ કશુ કહ્યું નથી તો બીજીબાજુ રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજીનામુ આપવાની મીડિયામાં ચાલેલી વાતને લઈને ગુલામનબી આઝાદે પણ એવુ કહ્યું કે, રાહુલ ગાંધીએ, કોંગ્રેસ વર્કિગ કમિટીની અંદર કે બહાર એવુ ક્યારેય નથી કહ્યું કે જે કોઈ પત્ર લખાયો છે તે ભાજપના કહેવાથી લખાયો છે.

પત્ર લખનારાઓની ટીકા કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિગ કમિટી (CWC)ની બેઠક ચાલી રહી છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને આ પદ (રાષ્ટ્રીય અધ્યક્ષપદે) પરથી મુક્ત કરવા અને નવા કાયમી અધ્યક્ષની પસંદગી કરી પક્ષને સંકટમાંથી ઉગારવા માટે કહ્યુ છે. તો સાથોસાથ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કેટલાક વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનોએ સોનિયા ગાંધીને સંબોધીને લખેલ પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ પત્રને લઈને નારાજગી વ્યક્ત કરીને પત્ર લખનારાઓની આકરી ટીકા પણ કરી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">