ભારે વરસાદથી ખેતીક્ષેત્રે નુકસાન ભોગવી ચૂકેલા 14 લાખ ખેડૂતોને સરકારે ચૂકવ્યા 1857 કરોડ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા અતિ ભારે વરસાદ અને પૂરથી અનેક ખેડૂતોને ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ હતું. વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે 3700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં કુલ 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી હતી. આ 19 લાખ ખેડૂતો પૈકી 14 […]
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા અતિ ભારે વરસાદ અને પૂરથી અનેક ખેડૂતોને ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ હતું. વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે 3700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં કુલ 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી હતી. આ 19 લાખ ખેડૂતો પૈકી 14 લાખ ખેડૂતોને સરકારે 1857 કરોડ રૂપિયા ચૂકવી દિધા છે. તો બાકીના ખેડૂતોને કેટલીક સ્પષ્ટતાઓ બાદ પણ રાહતની રકમ ચૂકવી દેવામાં આવશે. જો કે રાજ્ય સરકારે સેવેલા અંદાજ સામે 800 કરોડની બચત થવાની સંભાવના છે. સરકારે ભારે વરસાદ અને પૂરથી અસર પામેલા ખેડૂતોની સંખ્યા 27 લાખ અંદાજી હતી. જેની સામે 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ અરજી કરતા 3700 કરોડની સામે 2900 કરોડ રાહત સહાય પેટે ચૂકવવા પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો