કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે […]
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા પ્રમાણે હવે ગુરુવારે જ કર્ણાટક સરકારે વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, બળવાખોર ધારાસભ્યોને વિશ્વાસના મત સમયે વિધાનસભામાં જવા માટે કોઈ દબાણ કરી શકાશે નહીં. તેઓ વિધાનસભામાં જવા માટે સ્વતંત્ર છે. મહત્વનું છે કે બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર રાજીનામું ન સ્વીકારતા હોવાના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો બીજીતરફ કર્ણાટકની કુમારસ્વામી સરકારનું સંકટ વધી ગયું છે. કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આવતીકાલે સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. જો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર થશે, તો આવા સંજોગોમાં સરકારને બહુમત માટે 104 ધારાસભ્યોની જરૂર હશે. જે તેમની પાસે નથી. જેથી આ સંજોગોમાં સરકાર પડી જશે.
જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવશે તો પણ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવા સરકારને બહુમત માટે 104 મત જોઈશે. જે તેમની પાસે ન હોવાથી સરકાર પડી ભાંગશે. અને જો સરકાર પડી ભાંગશે તો, ભાજપ રાજ્યપાલ વજુ વાળાને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે. બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે- જો સરકાર પડી જશે તો તેઓ 3 દિવસમાં જ ભાજપની સરકાર બનાવશે.
[yop_poll id=”1″]