કોરોનાના વાઈરસના લીધે સુપ્રીમ કોર્ટેનો નિર્ણય, ફક્ત અરજન્ટ કેસની જ સુનાવણી
કોરાનાના લીધે હવે સુપ્રીમ કોર્ટે પણ સતકર્તા દાખવી છે. સુપ્રીમ કોર્ટ કોરોના વાઈરસની ભીતિના લીધે હવે માત્ર એ જ મામલાઓની સુનાવણી કરશે જે ખૂબ જ મહત્વના હોય. સુપ્રીમ કોર્ટની અધિસૂચના અનુસાર, કોરોના વાઈરસ મહામારીના લીધે સુપ્રીમ કોર્ટનું કામકાજ ફક્ત અરજન્ટ મામલાઓ સુધી જ સીમિત રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
કોરાનાના લીધે હવે સુપ્રીમ કોર્ટે પણ સતકર્તા દાખવી છે. સુપ્રીમ કોર્ટ કોરોના વાઈરસની ભીતિના લીધે હવે માત્ર એ જ મામલાઓની સુનાવણી કરશે જે ખૂબ જ મહત્વના હોય. સુપ્રીમ કોર્ટની અધિસૂચના અનુસાર, કોરોના વાઈરસ મહામારીના લીધે સુપ્રીમ કોર્ટનું કામકાજ ફક્ત અરજન્ટ મામલાઓ સુધી જ સીમિત રહેશે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો? ચીને આ દેશની સેના પર લગાવી દીધો આરોપ
આ ઉપરાંત કોર્ટે જારી કરેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે વાઈરસના ફેલાય તે માટે સંબંધિત અરજીકર્તાઓ સિવાય કોઈપણ વ્યક્તિ કોર્ટરૂમમાં પ્રવેશી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને તેની સંખ્યા 81 સુધી પહોંચી ગયી છે. ભારત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે 81 કેસમાં 64 લોકો ભારતીય છે. 16 ઈટલીના છે જ્યારે એક કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જે લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેના સંપર્કમાં આવેલાં તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ રીતે 4 હજારથી વધારે લોકોની તપાસ કરાઈ છે. આ ઉપરાંત ભારત સરકાર 42,296 લોકોને ભારત પરત લાવી છે અને તેમાંથી 2559 લોકોમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાયા છે. 522 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 17 વિદેશી નાગરિક છે. આમ સુપ્રીમ કોર્ટે પણ અધિસૂચના જારી કરી દીધી છે અને તે સોમવારથી લાગુ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]