સુપર સ્ટાર Rajinikanth એ શુક્રવારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, કરી શકે છે મોટી જાહેરાત

સુપરસ્ટાર Rajinikanth એ  2 મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. આની  માટે તેમણે પોતાની ખરાબ તબિયતને આગળ ધરી હતી.  તેમના આ નિર્ણયથી રજનીકાંતના ચાહકો ખૂબ હતાશ હતા.

સુપર સ્ટાર Rajinikanth એ શુક્રવારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, કરી શકે છે મોટી જાહેરાત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:48 PM

સુપરસ્ટાર Rajinikanth એ  2 મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. આની  માટે તેમણે પોતાની ખરાબ તબિયતને આગળ ધરી હતી.  તેમના આ નિર્ણયથી રજનીકાંતના ચાહકો ખૂબ હતાશ હતા. જો કે હવે તેમને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંતે 26 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં તે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ અચાનક બોલાવવામાં આવી છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે શુક્રવારે Rajinikanth  મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. ચેન્નાઈની સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માની રહ્યા છે તે રાજકારણને લઇને કોઇ મોટી જાહેરાત કરવા જઇ રહ્યાં છે.

Rajinikanth એ  આ પ્રેસ કોન્ફરન્સને એવા સમયે બોલાવી છે જ્યારે તમિલનાડુની ચૂંટણી યોજાવાની છે. એપ્રિલ – મે 2021 માં અહીં ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ તેમના નિકટના મિત્ર કમલ હાસન તેમને મળવા માટે તેના ઘરે ગયા હતા આ સમય દરમિયાન એવા સવાલો ઉભા થયા હતા કે શું રજનીકાંત ચૂંટણીમાં કમલ હાસનને ટેકો આપવા જઈ રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો તેમની રાજનીતિમાં પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં અચાનક જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. 29 ડિસેમ્બર 2020 ના રોજ રજનીકાંતે સ્વાસ્થ્યનાં કારણ આગળ ઘરીને રાજકારણમાં ન આવવાની ઘોષણા કરી. જ્યારે લોકો જાન્યુઆરી 2021 માં રજનીકાંતના નવા રાજકીય પક્ષના નામના જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે 2021 માં યોજાવાની છે. રજનીકાંતે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે અને તમામ 234 વિધાનસભા મતક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આધ્યાત્મિક રાજકારણને પ્રોત્સાહન આપશે. પરંતુ તે જ સમયે તેમણે એમ પણ કહ્યું કે તેમને મુખ્ય પ્રધાન બનવાની કોઈ ઇચ્છા નથી.

ભાજપને રજનીકાંતની અપેક્ષા હતી

આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રજનીકાંતની પાર્ટી સાથે જોડાણની તૈયારી કરી રહ્યો હતો. ભાજપને આશા હતી કે રજનીકાંતનો જાદુ પણ ચૂંટણીમાં ચાલશે, જેનો ભાજપને નોંધપાત્ર ફાયદો થશે. કારણ કે રાજ્યના એઆઈએડીએમકે પહેલા જ ભાજપને પહેલો ઝટકો આપ્યો છે.

એઆઈએડીએમકેએ બે શબ્દોમાં જાહેરાત કરી છે કે ભલે તે ભાજપ સાથે ચૂંટણી લડશે, પણ ચૂંટણીમાં જીત મેળવે તો ભાજપને સરકારમાં સામેલ કરવામાં આવશે નહીં, સરકાર ફક્ત એઆઈએડીએમકેની જ હશે. એઆઈએડીએમકેનો અર્થ સ્પષ્ટ છે, જો ભાજપે સાથે મળીને ચૂંટણી લડવી પડશે તો તેને સહયોગીની ભૂમિકા નિભાવવી પડશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">