સુધરે એ ચીન નહી, કહ્યું ભારતે LAC પાર કરીને કર્યો હતો હુમલો, ભારતે કહ્યું ગલવાન ઘાટી પરનો ચીનનો દાવો ખોટો
લદ્દાખમાં LAC પર ખેલાયેલા લોહિયાળ જંગ પછી ચીનનાં વિદેશ મંત્રાલય દવારા દાવો કરાયો હતો કે ગલવાન ઘાટી ચીન LAC લાઈન તરફ છે. ભારતે ચીનને વાયદો કર્યો હતો કે તે ગલવાન નદીને પેટ્રોલિંગ તેમજ અન્ય સુવિધા માટે નિર્માણનાં કામે પાર નહી કરે. કમાંડર સ્તરે બેઠક કરીને તબક્કાવાર રીતે સૈનિકોને પાછા ખેંચવા પર ચર્ચા કરશે અને નિર્ણય […]
લદ્દાખમાં LAC પર ખેલાયેલા લોહિયાળ જંગ પછી ચીનનાં વિદેશ મંત્રાલય દવારા દાવો કરાયો હતો કે ગલવાન ઘાટી ચીન LAC લાઈન તરફ છે. ભારતે ચીનને વાયદો કર્યો હતો કે તે ગલવાન નદીને પેટ્રોલિંગ તેમજ અન્ય સુવિધા માટે નિર્માણનાં કામે પાર નહી કરે. કમાંડર સ્તરે બેઠક કરીને તબક્કાવાર રીતે સૈનિકોને પાછા ખેંચવા પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. પરંતુ 15 જૂનની સાંજે કમાંડર સ્તરીય બેઠકમાં થયેલી સમજૂતિનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈનિકોએ LAC પાર કર્યું હતું. જો કે આપને બતાવી દઈએ કે ચીને ગલવાન ઘાટી પોતાની તરફ હોવાના કરેલા દાવાને ભારતે એક દિવસે પહેલા જ ફગાવી હતો અને ચીનને તાકીદ કરી હતી કે તે તેની ગતિવિધિઓ લાઈનની પેલે પાર સુધી સિમિત રાખે.
આ તરફ ભારતનું કહેવું છે કે ચીન દ્વારા વધારી ચઢાવીને કરાઈ રહેલો દાવો છ જૂને ઉચ્ચ સ્તરીય સૈન્ય વાર્તાલાપથી વિરૂદ્ધ છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયાને 15 જૂને પૂર્વ લદ્દાખમાં ઘટેલી ઘટનામાં ભારતને જવાબદાર ગણાવીને ગલવાનની વાસ્તવિક સીમાં તેની તરફ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચીનનાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સિવાય ચીનનાં વિદેશ મંત્રાલય પર મુકવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારની સ્થિતિને પહોંચી વળવા માટે કમાંડર સ્તરની બીજી એક બેઠક ઝડપથી બોલાવવી જોઈએ. બંને દેશ રાજકીય અને સૈન્ય સ્તર પર મળીને વિવાદ ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી ઝડપમાં ચીનનાં 40થી વધારે સૈનિકો ઘાયલ થયા હતા અથવા તો માર્યા ગયા હતા. ભારત તરફે 20 જેટલા સૈનિકોનાં મોત થયા હોવાનું બહાર આવ્યું હતું.