જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

ડુંગળીને લઈને હવે વિવાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂ થયો છે. દેશમાં ડુંગળીના ભાવને લઈને ભારે વિરોધ થયો હતો. આ બાદ સરકારે ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું હતું. 42 હજાર ટન ડુંગળી ભારતમાં આવી ચૂકી છે અને હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો આ ડુંગળીને ખરીદવા જ તૈયાર નથી. કેન્દ્ર સરકાર […]

જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 3:39 PM

ડુંગળીને લઈને હવે વિવાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂ થયો છે. દેશમાં ડુંગળીના ભાવને લઈને ભારે વિરોધ થયો હતો. આ બાદ સરકારે ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું હતું. 42 હજાર ટન ડુંગળી ભારતમાં આવી ચૂકી છે અને હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો આ ડુંગળીને ખરીદવા જ તૈયાર નથી. કેન્દ્ર સરકાર રાજ્યોને 55 રૂપિયા પ્રતિકિલોના ભાવે ડુંગળી આપવા તૈયાર છે. આ સિવાય કેન્દ્ર સરકાર ડુંગળીને રાજ્યમાં પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ભોગવી રહી છે તો પણ રાજ્યો ડુંગળીની ખરીદીમાં રૂચી દાખવી રહ્યાં નથી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આ અંગે માહિતી આપી કે 18500 ટન ડુંગળી ભારત આવી ચૂકી છે. જો કે આ ડુંગળીમાંથી ફક્ત રાજ્યોએ 2 હજાર ટનની જ ખરીદી કરી છે. સરકારને ચિંતા છે કે ગોડાઉનમાં પડી પડી આ ડુંગળી સડી ના જાય. આમ કેન્દ્ર રાજ્યોને અપીલ કરી રહ્યું છે કે બજારમાં 60-70 રુપિયાની ડુંગળીના બદલે કેન્દ્ર સરકાર પાસેથી 55 રુપિયા પ્રતિકિલોની રકમે ડુંગળીની ખરીદી કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રામવિલાસ પાસવાને વધારે માહિતી આપતા જણાવ્યું કે જો રાજ્ય સરકાર ડુંગળીની ખરીદી જ નહીં કરે તો કેવી રીતે ભાવને કાબૂમાં લાવી શકાશે. જો કોઈ ખરીદશે નહીં તો આ ડુંગળી ગોડાઉનમાં સડી જશે. આ બધાની વચ્ચે ગુજરાતમાંથી એવી ખબર આવી હતી કે લોકોને બહારથી આયાત કરેલી ડુંગળીનો સ્વાદ પસંદ આવતો નથી. તે સ્વાદમાં ફિક્કી લાગે છે અને તેના લીધે લોકો આવી ડુંગળી ખરીદવાનું ટાળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">