અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે. તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે […]
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે.
તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે હાજર રહેશે. રાહુલ ગાંધીએ વર્ષ 2004થી 2019ની ચૂંટણી પહેલા લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. વર્ષ 1999માં સોનિયા ગાંધી પણ આ સીટ પરથી જીત્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમેઠી સીટ પર સતત જીત્યા પછી ગાંધી પરિવારે તેમનું ઘર બનાવવાનું વિર્ચાયુ નથી પણ તે તેમના પ્રવાસ દરમિયાન અતિથિ ગૃહમાં રહેતા હતા. પોતાના લોકસભા ક્ષેત્રમાં ઘર બનાવવાનો સ્મૃતિ ઈરાનીનો નિર્ણય આ વાતનું સ્પષ્ટ સંકેત છે કે તે આગામી વર્ષોમાં અમેઠીની સાથે સંબંધ રાખવા માટેની ઈચ્છા ધરાવે છે.
સ્મૃતિ ઈરાની તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે નામદાર લોકો અમેઠીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા પછી 5 વર્ષ પછી ખોવાઈ જાય છે અને અમેઠીના લોકો દિલ્હી સુધી તેમને શોધે છે. તેમને વધુમાં કહ્યું કે અમેઠીના લોકોએ નામદારોની વિદાય કરીને વિકાસને પસંદ કર્યો છે. એક સામાન્ય પરિવારના સભ્યને અમેઠીએ તક આપી છે. હું પુરી ઈમાનદારીથી સેવા કરીશ.
આ પણ વાંચો: અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]