સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?
મધ્યપ્રદેશમાં રાજનીતિક હોળી રમાઈ રહી છે. આ હોળીની શરૂઆત જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત સાથે કરી છે. સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે સિંધિયા બુધવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપની સદસ્યતા સિંધિયા લઈ શકે છે. Facebook પર […]
મધ્યપ્રદેશમાં રાજનીતિક હોળી રમાઈ રહી છે. આ હોળીની શરૂઆત જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત સાથે કરી છે. સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે સિંધિયા બુધવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપની સદસ્યતા સિંધિયા લઈ શકે છે.
આ પણ વાંચો : કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!
કમલનાથે રાજ્યપાલને લખ્યો પત્ર સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ 22 ધારાસભ્યોમાં 6 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેને તાત્કાલિક પોતાના પદથી હટાવવા માટે કમલનાથ સરકારે રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં મંત્રી ઈમરતી દેવી, તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદીયા, પદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરીનો સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજીનામું આપવાથી સિંધિયાને શું ફાયદો? સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે સિંધિયાને કમલનાથ સરકારે રાજ્યસભા મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાજુ ભાજપમાં સિંધિયાને રાજ્યસભા જવાનો મોકો મળી શકે છે અને તેને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે. આ અંગે કોઈ સ્પષ્ટતા હાલ થઈ શકી નથી પણ એટલું સ્પષ્ટ છે કે જો સિંધિયા સમર્થક ધારાસભ્યો રાજીનામું પરત ના ખેંચે તો કોંગ્રેસની સરકાર ચાલી શકશે નહીં. સિંધિયા બુધવારના રોજ શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]