સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એક મુશ્કેલી ઓછી ન થઈ ત્યાં જ ચૂંટણી પંચે ફ્ટકારી બીજી નોટિસ, પ્રચાર પ્રતિબંધ હોવા છતાં કરી રહ્યા હતા આ કામગીરી

ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના પ્રચાર પર પ્રતિબંધ કરી દીધો હતો. જે દરમિયાન સાધ્વી પ્રજ્ઞા મંદિરોમાં દર્શન માટે જઈ રહ્યા હતા અને ભજન કિર્તન ભોપાલથી ભાજપના લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એક મુશ્કેલી ઓછી થઈ હતી ત્યા જ ચૂંટણી પંચે વધુ નોટિસ ફટકારી દીધી છે. ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના પ્રચાર પર પ્રતિબંધ કરી દીધો હતો. જે […]

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એક મુશ્કેલી ઓછી ન થઈ ત્યાં જ ચૂંટણી પંચે ફ્ટકારી બીજી નોટિસ, પ્રચાર પ્રતિબંધ હોવા છતાં કરી રહ્યા હતા આ કામગીરી
Follow Us:
| Updated on: May 05, 2019 | 7:13 AM

ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના પ્રચાર પર પ્રતિબંધ કરી દીધો હતો. જે દરમિયાન સાધ્વી પ્રજ્ઞા મંદિરોમાં દર્શન માટે જઈ રહ્યા હતા અને ભજન કિર્તન

ભોપાલથી ભાજપના લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એક મુશ્કેલી ઓછી થઈ હતી ત્યા જ ચૂંટણી પંચે વધુ નોટિસ ફટકારી દીધી છે. ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના પ્રચાર પર પ્રતિબંધ કરી દીધો હતો. જે દરમિયાન સાધ્વી પ્રજ્ઞા મંદિરોમાં દર્શન માટે જઈ રહ્યા હતા અને ભજન કિર્તન કરી રહ્યા હતા. બસ આટલી વાતને લઈને ચૂંટણી પંચે નોટિસ ફટકારી દીધી

મહત્વનું છે કે ગુરુવાર 6 વાગ્યાથી 72 કલાક માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ કર્યો હતો. અને સાધ્વી પ્રજ્ઞા કોઈપણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકે નહીં તેવું ફરમાવ્યું હતું. તેમ છતાં તેઓ મંદિરમાં જઈને દર્શન અને સાથે ભજન કરી રહ્યા હતા. સાધ્વીના આ પ્રકારની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કોંગ્રેસે કહ્યું કે સાધ્વીને કોઈ પણ પ્રકારના પ્રચાર કરવાની મનાઈ હોવા છતાં આ પ્રકારે પોતાના સમર્થકો સાથે મળી રહ્યા છે. જે બાદ ચૂંટણી પંચે નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ માટે સાધ્વી પ્રજ્ઞા પર લાગ્યો હતો પ્રચારનો બેન

આ પણ વાચોઃ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે

સાધ્વી પ્રત્રા ઠાકુરે આચાર સંહિતા લાગુ હોવા છતાં કહ્યું કે 6 ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને પાડવામાં આવી ત્યારે તેઓ ત્યા હાજર હતા. અને મસ્જિદના ગુંબજ ઉપર ચડીને તેને પાડવાની વાત જણાવી હતી. સાથે આ વાતનો ગર્વ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારના નિવેદનના કારણે ચૂંટણી પંચે તેમના પર પ્રચાર પ્રતિબંધ લગાવી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">