રાજ્યસભાની ચૂંટણીમાં રહી ગયેલી ઈજ્જત બચાવવા કોંગ્રેસમાં સળવળાટ, નેતાઓની શાખ દાંવ પર, ભાજપ ત્રીજો ઉમેદવાર જીતાડવા આરપારના મૂડમાં

ગુજરાતમાં એક બાદ એક જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસની નેતાગીરીમાં જાણે ભૂકંપ સર્જાયો છે. ગઈકાલે બે અને આજે વધુ એક ધારાસભ્યે કોંગ્રેસને અલવિદા કરી દેતા નેતાઓ એ બાકી બચેલાઓ માટે કોંગ્રેસ આસપાસમાં રીસોર્ટ શોધવા લાગી ગઈ છે. મળતા સમાચાર પ્રમાણે મધ્ય ગુજરાતનાં ધારાસભ્યોને આણંદ નજીક ફાર્મ હાઉસમાં એક રાખવાનો […]

રાજ્યસભાની ચૂંટણીમાં રહી ગયેલી ઈજ્જત બચાવવા કોંગ્રેસમાં સળવળાટ, નેતાઓની શાખ દાંવ પર, ભાજપ ત્રીજો ઉમેદવાર જીતાડવા આરપારના મૂડમાં
http://tv9gujarati.in/rajysabha-ni-chu…rpaar-na-modd-ma/
Follow Us:
| Updated on: Jun 05, 2020 | 3:38 PM

ગુજરાતમાં એક બાદ એક જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસની નેતાગીરીમાં જાણે ભૂકંપ સર્જાયો છે. ગઈકાલે બે અને આજે વધુ એક ધારાસભ્યે કોંગ્રેસને અલવિદા કરી દેતા નેતાઓ એ બાકી બચેલાઓ માટે કોંગ્રેસ આસપાસમાં રીસોર્ટ શોધવા લાગી ગઈ છે. મળતા સમાચાર પ્રમાણે મધ્ય ગુજરાતનાં ધારાસભ્યોને આણંદ નજીક ફાર્મ હાઉસમાં એક રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.આણંદના એરીસ રીવરસાઈડમાં ખુદ રાજયસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી, આણંદના ધારાસભ્ય કાંતી ચાવડા પહોચી ગયા છે. 10 કરતા વધારે ગાડીઓનો કાફલો આ ફાર્મ હાઉસમાં પહોચ્યો હતો.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષમાં આંતરિક બળવાના એંધાણ આપ્યા છે કેમકે  ચાર બેઠકોમાંથી બે બેઠક જીતવાની આશા પહેલા જ ત્રણ વધુ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાસે તેના બે ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી કોને રાજ્યસભા માટે જીતાડીને મોકલવા તેનો યક્ષપ્રશ્ન ઉભો થયો છે. ભરતસિંહ અને શક્તિસિંહ એ બંને કોંગ્રેસના કદાવર નેતા છે સાથે જ હાઈકમાંડમાં પણ એટલી જ પકડ પણ રાખે છે ત્યારે આ બંને નેતાઓની પોતાની શાખ પણ દાવ પર લાગી છે અને જે આગળ જઈને ધારાસભ્યોમાં આંતરિક જૂથવાદનું બ્યુગલ ફૂંકી શકે છે.આની પાછળ જવાબદાર કોઈ હોય તો તે છે ભાજપ કે જેણે પોતાના ઉમેદવારની જીત નિશ્ચિત તો કરી લીધી પણ કોંગ્રેસ પક્ષમાં કમઠાણ પણ સર્જી દીધુ. હવે કોંગ્રેસમાં ચાલતો આવતો જૂથવાદ જ નક્કી કરશે કે કોણ જીતીને રાજ્યસભામાં જશે.

ભાજપે સહું પહેલા રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સમયે ભાજપે ટ્રાયબલ કાર્ડ મુજબ રમીલા બારા, બ્રાહ્મણ કાર્ડ પ્રમાણે અભય ભારદ્વાજના નામની જાહેરાત કરી હતી, બાદમાં ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી જ આવેલા નરહરી અમીનના નામની જાહેરાત કરાતા જ કોંગ્રેસમાં સળવળાટ શરૂ થઈ ગયો હતો.  રાજ્યસભાના ગણિતને સમજીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે, અગાઉ ધારાસભ્યના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠકો મળે તેમ હતું, પરંતુ આમાં ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ હતી. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતાર્યા અને કોંગ્રેસે પણ 2 ઉતારતા જંગ થઈ ગયો. હવે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ તો સરળતાથી 3 બેઠક જીતશે પણ કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જણાવવું રહ્યું કે વર્ષ 2017માં જે ચૂંટણી થઈ ત્યાર બાદ અત્યાર સુધીમાં કોઈના કાઈ બહાને 18 બેઠક ખાલી થઈ, જો કે અમુકમાં પેટાચૂેટણી યોજાઈ થઈ તો કેટલાકમાં આગામી દિવસોમાં યોજાશે. હાલમાં કોંગ્રેસની બેઠક સંખ્યા 65 પર આવી ચુકી છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">