RAJKOT : 2017થી નરેશ પટેલ રાજકારણ સાથે રમે છે સંતાકૂકડી, BJP-કોંગ્રેસ અને AAPના નેતાઓને રાખે છે હાથમાં

નોંધનીય છેકે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. એક માહિતી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ પણ મળ્યું છે. આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું કે રાજકારણ માટે જોડાવવું કે નહિં તે અંગે સમાજ નક્કી કરશે.

RAJKOT : 2017થી નરેશ પટેલ રાજકારણ સાથે રમે છે સંતાકૂકડી, BJP-કોંગ્રેસ અને AAPના નેતાઓને રાખે છે હાથમાં
નરેશ પટેલ-પાટીદાર અગ્રણી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:57 PM

RAJKOT :  ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે ફરી રાજકીય સૂર વગાડ્યો છે.જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવું નિવેદન આપીને નરેશ પટેલે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.જો કે આ પ્રથમ વખત નથી અગાઉ વર્ષ 2017થી નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાવાની સ્પષ્ટ ના પાડીને રાજકીય સોગઠાં બેસાડતા જોવા મળી રહ્યા છે.તમામ રાજકીય પક્ષો સાથે તેઓ બેસે છે અને પોતાનું પ્રભુત્વ વધારતા જોવા મળી રહ્યા છે.

ખોડલધામ ઉભું કરવામાં પહાડો સર કર્યા,રાજકારણ પણ કરી શકું-નરેશ પટેલ

ટીવીનાઇન સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ખોડલધામના નિર્માણ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો,અનેક પહાડો સર કર્યા છે.સમાજને એકત્ર કરવા માટે અને સમાજના વિકાસ માટે કંઇપણ કરી શકું છું.હવે જો સમાજ રાજકારણમાં પ્રવેશવાનું કહેશે તો રાજકારણમાં પણ પ્રવેશ કરીશ.

Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ

રાજકારણમાં પ્રવેશ એટલે ચૂંટણી લડવી એવું નથી- નરેશ પટેલ

નરેશ પટેલ અગાઉ એવું સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ક્યારેય ચૂંટણી નહિ લડે.આજે પોતાના નિવેદન દરમિયાન નરેશ પટેલે કહ્યુ હતું કે રાજકારણમાં પ્રવેશ કરવો એટલે એવું નથી કે ચૂંટણી લડવી.સમાજના વિકાસ માટે રાજકારણમાં પ્રવેશ કરી શકાય છે.

તમામ રાજકીય પક્ષોએ નરેશ પટેલને આવકાર્યા

નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તો ક્યાં પક્ષમાં જોડાય એ સવાલ બહું સ્વાભાવિક છે પરંતુ નરેશ પટેલ જો જોડાય તો ક્યાં પક્ષમાં જોડાય તેના પર સૌની નજર છે.જો કે નરેશ પટેલનું નિવેદન આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તેને આવકારવા માટે તૈયાર થઇ ગયાં.

નોંધનીય છેકે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. એક માહિતી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ પણ મળ્યું છે. આ મામલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું કે રાજકારણ માટે જોડાવવું કે નહિં તે અંગે સમાજ નક્કી કરશે. અને, જયારે અમારો સમાજ આ બાબતે મને મંજૂરી આપશે તો હું રાજકારણમાં જોડાવવાનું પગલું ભરીશ. અને, આ તમામ બાબતે સમય જ નક્કી કરશે કે મારે કયારે રાજકારણમાં જોડાવવું ?

નોંધનીય છેકે આજે પાટીદાર અગ્રણીઓની સીએમ સાથે બેઠક યોજાવવાની છે આ પૂર્વે નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના મોટા અગ્રણી નેતા છે. અને, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મોટી વેંક પણ છે. આ ઉપરાંત કોંગ્રેસ પાસે લેઉવા પાટીદારોનું મોટું નામ નહીં હોવાથી નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાશે તો મોટા સમીકરણ ચેઇન્જ થશે. આ ઉપરાંત, આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદારોના મત મહત્વના સાબિત થશે.

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">