રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરને વેલ્લોર જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં છેલ્લા 28 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે. આ પણ વાંચો: VIDEO: સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાઈ સિન્ડિકેટ સભા, સિન્ડિકેટ સભ્ય દ્વારા પ્રતીક ઉપવાસ પર બેસી કરાયો સભાનો વિરોધ Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' […]
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલ્લોર જેલમાં છેલ્લા 28 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે.
ગઈકાલે રાત્રે નલિનીએ જેલમાં પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જેલ અધિકારીઓએ તાત્કાલિક તેને બચાવી લેવામાં આવી હતી. નલિનીના વકીલે કહ્યું કે તેમની તબિયત સારી છે અને ખતરાથી બહાર છે. આપને જણાવી દઈએ કે નલિનીએ ગયા વર્ષે મદ્રાસ હાઈકોર્ટથી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. નલિનીએ 27 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અમરેશ્વર પ્રતાપ સાહીને એક પત્ર મોકલ્યો હતો. નલિનીએ જેલ સ્ટાફ પર ગેરવર્તણૂંક કરવાનો આરોપ લગાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો