Rajasthan : કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકારનો મોટો નિર્ણય, 283 RASની કરાઈ બદલી
કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યના 283 RAS અધિકારીની બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વહીવટીતંત્રનો અત્યાર સુધીનો આ સૌથી મોટો ફેરફાર છે.
Rajasthan : રાજસ્થાનમાં ગેહલોત સરકારે રાજ્યના વહીવટ lતંત્રમાં સૌથાી મોટો ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના (Rajasthan Administration Service)283 અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર(Trasfer) જાહેર કર્યા છે.તેથી સરકારના આદેશ મુજબ કુલ 283 આરએએસ (RAS)અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે.
RASના 284 અધિકારીઓની કરાઈ ફેરબદલી
આપને જણાવવું રહ્યું કે,રાજસ્થાન વહીવટી તંત્રમાં આ સૌથી મોટો ફેરફાર છે. RASના 284 અધિકારીઓની ફેરબદલીમાં સરકારે 98 સ્થળોએ અધિકારીઓની નિમણૂક કરી છે.ઉલ્લેખનીય છે કે, આ જગ્યા લાંબા સમયથી ખાલી પડી હતી. આ સાથે જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટાપાયે વિભાગીય અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ઉપરાંત જિલ્લાઓમાં પોસ્ટ કરેલા 111 SDM બદલાયા છે. શહેર અને ગ્રામીણ વિસ્તારોની વહીવટી સરકારમાં મોટા ફેરફારો કરીને, ગેહલોતે સંકેત આપ્યા છે કે કેબિનેટમાં ફેરફાર પછી અધિકારીઓ જે તે પ્રધાનના આદેશ અનુસાર કાર્ય કરશે.
રાજ્ય સરકારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 24 જુનિયરઅધિકારીઓને (Junior Officer) બઢતી આપી છે.મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે પ્રિયંકા ગોસ્વામીને જીએડીમાંથી (GAD)હટાવ્યા છે અને રાજ્ય માહિતી આયોગમાં સચિવ ( Information Commission) બનાવ્યા છે.જ્યારે યુડીએચમાં જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) તરીકે કાર્યરત ત્રિભુવનપતિને કોલેજ શિક્ષણમાં વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરાંત જેડીએમાં એડિશનલ કમિશનર (Additional Commissioner)શ્રુતિ ભારદ્વાજને જળ સંસાધન સંયુક્ત સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. સરકારે 3 જિલ્લામાં નવા ડીએસઓની નિમણુક કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ રાજસ્થાનની (Rajasthan) ગેહલોત સરકારે 23 IAS અધિકારીઓની બદલી કરી હતી. જ્યારે સુબીર કુમારને (Subir kumar)ગૃહ સચિવ અને ભાસ્કર એ સાવંતને કર્મચારી સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા.