Punjab Politics: અમૃતસરમાં સિદ્ધુનું શક્તિપ્રદર્શન, મંત્રી ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિર પહોચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને સપોર્ટ મળવા પર કેપ્ટન અમરિંદર સિંહે હજુ પણ હાર માની નથી. સિદ્ધુ એ કેપ્ટન અમરિંદર સિંહનો સમય માગ્યો હતો પરંતુ તેમણે હજુ સુધી આપ્યો નથી
Punjab Politics: પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ(Navjotsingh Siddhu)એ પાર્ટીના ધારાસભ્યોને તેમના અમૃતસર(Amritsar) નિવાસ પર નાસ્તામાં આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના લગભગ 62 ધારાસભ્યો(MLA) તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. સીએમ અમરિંદર સિંહ(CM Captain Amrinder Singh)ની માફી માંગવાના સવાલ પર કોંગ્રેસના ધારાસભ્ય પરગત સિંહે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુએ મુખ્યમંત્રી પાસે માફી કેમ માંગવી જોઈએ. તેમણે કહ્યું કે માફી માંગવી એ કોઈ જાહેર મુદ્દો નથી. આ સાથે તેમણે કહ્યું કે આવા અનેક મુદ્દાઓ છે જેનું મુખ્યમંત્રીએ કોઈ નિરાકરણ લાવ્યું નથી.
About 62 MLAs arrive at Punjab Congress President Navjot Singh Sidhu’s residence in Amritsar: Sidhu’s Office pic.twitter.com/G03RiYcNSy
— ANI (@ANI) July 21, 2021
કેપ્ટને દેખાડ્યા રંગ
જણાવી દઈએ કે હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને સપોર્ટ મળવા પર કેપ્ટન અમરિંદર સિંહે હજુ પણ હાર માની નથી. સિદ્ધુ એ કેપ્ટન અમરિંદર સિંહનો સમય માગ્યો હતો પરંતુ તેમણે હજુ સુધી આપ્યો નથી. જો કે સીએમનાં સલાહકારે ટ્વિટ કરીને કહ્યું કે આ પ્રકારનો કોઈ સમય માગવામાં નથી આવ્યો. આ મુલાકાત ત્યાં સુધી શક્ય નથી કે જ્યાં સુધી સિદ્ધુ તેમની માફી નથી માગી લેતા