કોરોનાને લઈને કેન્દ્રએ પંજાબ સરકાર પર ઉઠાવ્યા સવાલ, તો પંજાબના CMએ કેન્દ્ર પર કર્યો પલટવાર

એક તરફ કોરોના ખુબ વધી રહ્યો છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. કેન્દ્રએ પંજાબ પર સવાલ ઉઠાવ્યા હતા તો હવે CM અમરિંદરે કેન્દ્ર પર પલટવાર કર્યો છે.

કોરોનાને લઈને કેન્દ્રએ પંજાબ સરકાર પર ઉઠાવ્યા સવાલ, તો પંજાબના CMએ કેન્દ્ર પર કર્યો પલટવાર
કેપ્ટન અમરિંદરસિંહે કેન્દ્ર પર કર્યો પ્રહાર
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 10:22 AM

કેન્દ્ર સરકારે કોરોનાના વધતા જતા કેસો માટે પંજાબ સરકારની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે હવે કેન્દ્રની ટીકા સામે પ્રતિક્રિયા આપી છે. બુધવારે તેમણે પલટવાર કરતા કહ્યું કે પંજાબ સરકાર રાષ્ટ્રીય સરેરાશથી વધુ લોકોની તપાસ કરી રહી છે. જો ભારત સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાની તારીખમાં મોડું ન કર્યું હોત તો સ્થિતિ વધુ સારી હોત.

તેમણે કહ્યું કે, જો કેન્દ્ર સરકારે 45 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ હેઠળ લાવવામાં બે મહિના વિલંબ કરવાની જગ્યાએ, 50 થી વધુ વયના લોકો માટે અમારી માંગને માની લીધી હોત તો કદાચ અત્યારે પરીસ્થિતિ વધુ સારી હોત.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પંજાબ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના તપાસ અને પીડિતોની અટકાયત માટે યોગ્ય પગલાં લીધા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારે જાહેર જનતાની ભીડ પર સખત પ્રતિબંધ લાદ્યો છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. આ ઉપરાંત કોવિડના સૌથી ખરાબ અસરગ્રસ્ત 11 જિલ્લામાં રાતના 9 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લગાવાયો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને વારંવાર લેખિતમાં અને રાજ્યના મુખ્ય સચિવ વતી બેઠકોમાં પણ કહેવામાં આવ્યું હતું કે રસીકરણની વર્તમાન યોજનાની સમીક્ષા કરવાની જરૂર છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મુખ્યમંત્રીએ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, ન્યાયાધીશો, બસ ડાઇવર્સ અને કંડકટરો, પંચ / સરપંચો / મેયર / મ્યુનિસિપલ કમિટીઓ, વડાઓ / કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદો માટે બધે વ્યાવસાયિક રસીકરણ શરૂ કરવાની તેમની માંગને પુનરાવર્તિત કરી હતી. કેપ્ટને કોવિડ વિશેના નમૂનાના અહેવાલો મેળવવામાં વિલંબનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અત્યાર સુધી મોકલેલા 874 નમૂનાઓમાંથી, ફક્ત 588 નો રીપોર્ટ મળ્યો છે, જેમાંથી 411 નમૂનાઓ બી -1.1.7 (યુકે વાયરસ) અને 2 એન -440 માટે પોઝિટિવ હોવાનું જણાયું છે. મુખ્યમંત્રીએ કેન્દ્રને અપીલ કરી છે કે યુકે સ્ટ્રેન્સની હાજરી દ્વારા રજૂ કરેલા પડકાર પર નોંધ લે અને આ સંદર્ભે રાજ્ય સાથે જરૂરી માહિતી અને સલાહ શેર કરે.

આ પણ વાંચો: પાકિસ્તાનની અક્કલ ઠેકાણે, 2 વર્ષ બાદ ભારતની ખાંડ અને કપાસ ખરીદવા માટે બન્યું મજબુર

આ પણ વાંચો: ચિંતાજનક: કોરોના બન્યો ‘સાયલન્ટ કિલર’, મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">