જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?
પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા. Facebook પર તમામ મહત્વના […]
પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા.
https://twitter.com/crpfindia/status/1228023791621533696?s=20
આ પણ વાંચો : પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા
CRPFના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પરથી જવાનોને યાદ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે તમારા શૌર્યના ગીત કર્કશ અવાજમાં પણ ખોવાયા નથી, ગર્વ એટલો હતો કે અમે મોડે સુધી રોયા નથી. આ ઉપરાંત ટ્વીટમાં જવાનોના ફોટાની સાથે લખવામાં આવ્યું કે અમે અમારા ભાઈઓને સલામ કરીએ છીએ જેને પુલવામામાં રાષ્ટ્રની સેવા કરતાં પોતાના જીવ આપી દીધા, અમે આજ સુધી તેમને ભૂલ્યા નથી, અમે બહાદુર શહીદોના પરિવારની સાથે ઉભા છીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ શહીદો માટે લેથપુરા કેમ્પ ખાતે એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવશે અને તેમાં શહીદોની તસવીરો પણ રાખવામાં આવશે. આ ઉપરાંત 40 જવાનના ઘરેથી મગાવવામાં આવેલી માટી પણ આ સ્મારકમાં રાખવામાં આવી છે. સીઆરપીએફનું ધ્યેય વાક્ય સેવા અને નિષ્ઠા છે તે પણ આ સ્મારકમાં લખવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]