Priyanka Gandhiએ કહ્યું પીએમ મોદી ખેડૂતોના આંસુ ના લૂછી શક્યા, તેમની રાજનીતિ માત્ર અરબોપતિ મિત્રો માટે
કોંગ્રેસ મહામંત્રી Priyanka Gandhiએ મુઝફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયતમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસ મહામંત્રી Priyanka Gandhiએ મુઝફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયતમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં ખેડૂતોનું અપમાન થયું, તેઓને ‘દેશદ્રોહી’ અને ‘આંદોલનકારી’ કહેવાયા છે. દિલ્હીની સરહદ વડાપ્રધાનના નિવાસસ્થાનથી 5 કિલોમીટર દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી દુનિયાની મુસાફરી કરી પણ લાખો ખેડૂતો પાસે જઈને તેમના આંસુ લૂછ્યા નહીં. તેમની રાજનીતિ ફક્ત તેમના અરબોપતિ મિત્રો માટે છે.
Priyanka Gandhiએ કહ્યું, અહીં આવવું એ મારો ધર્મ છે અને હું કોઈની તરફેણ નથી કરી રહી. પીએમએ ખેડૂતોની મજાક ઉડાવી. તેઓએ તેમને પરોપજીવી અને આંદોલનકારી કહ્યા. રાકેશ ટીકૈતજીની આંખમાં આંસુ આવે છે, જ્યારે પીએમ મોદીના ચહેરા પર સ્મિત આવે છે. મહાપંચાયતને સંબોધન કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાને મુસાફરી માટે બે વિમાન ખરીદ્યા, જેની કિંમત 16 હજાર કરોડથી વધુ છે. પરંતુ તેમની પાસે ખેડૂતોને ચુકવવા પૈસા નથી. 20 હજાર કરોડની યોજના સંસદ ભવન, ઈન્ડિયા ગેટની સુંદરતા માટે બનાવવામાં આવી રહી છે અને તમારી શેરડીના ભાવ ચૂકવવા માટે પૈસા નથી.
Priyanka Gandhiએ કહ્યું કે જૂની વાર્તાઓમાં અહંકારી રાજાઓ હતા. જેમ જેમ તેની શક્તિ વધતી જતી હતી, તે મહેલમાં બંધ થઈ રહ્યો હતો. તેમની સામે લોકોને સત્ય કહેવામાં ડર લાગતો હતો. લોકો આજીજી કરવા લાગ્યા. તેમનો અહંકાર વધવા લાગ્યો. આપણા પીએમ પણ તે અહંકારી રાજાઓ જેવા બની ગયા છે. તેમને એ પણ સમજાતું નથી કે આ દેશની સરહદની રક્ષા કરનાર યુવાન એક ખેડૂતનો પુત્ર છે. પીએમ મોદીએ યુવક અને ખેડૂતનું સન્માન કરવું જોઈએ.
આ સાથે તેમણે કહ્યું કે, પીએમ મોદી તમારી સામે આવ્યા હતા અને દરેક ચૂંટણીમાં વચન આપ્યું હતું કે શેરડીના પાકની ચુકવણી તમને કરવામાં આવશે. હું તમને પૂછવા માંગું છું તમે પ્રાપ્ત કર્યું કે નહીં? તેમણે કહ્યું કે તમારી આવક બમણી થઈ જશે. તમારી આવક બમણી થઈ. તેમણે દાવો કર્યો હતો કે સરકારી એપીએમસી ધીરે ધીરે બંધ થઈ જશે, તેમજ નવા કાયદા હેઠળ એમએસપીનો પણ અંત આવશે.
આ પણ વાંચો: કોરોનાનો કહેર: મુંબઈમાં 1,305 ઈમારતો કરાઈ સીલ, જેમાં રહે છે 71,838 પરિવારો