પ્રશાંત કિશોર પંજાબમાં કેબિનેટ મંત્રી તરીકે લેશે માત્ર 1 રૂપિયો પગાર, પરંતુ મળશે આ સુવિધાઓનો લાભ

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પ્રશાંત કિશોર પંજાબમાં કેબિનેટ મંત્રી તરીકે લેશે માત્ર 1 રૂપિયો પગાર, પરંતુ મળશે આ સુવિધાઓનો લાભ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 02, 2021 | 12:32 PM

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય વતી આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોર ટોકન મની તરીકે માત્ર 1 રૂપિયા પગાર લેશે. જો કે તેમને બંગલો, ઓફિસ, ટેલિફોન સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવશે. સીએમઓ દ્વારા જારી કરવામાં આવતી સેવાની શરતોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરનો કાર્યકાળ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના કાર્યકાળ સમાન હશે. તેમને ખાનગી સચિવ, અંગત સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એક કારકુન અને બે પટાવાળા આપવામાં આવશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તેમને કેબિનેટ પ્રધાનને આપવામાં આવતો બંગલો આપવામાં આવશે. ઓફિસ અને કેમ્પ ઓફિસ/નિવાસમાં ટેલીફોન ઉપરાંત, મોબાઈલ ફોનનો ખર્ચો પણ આપવામાં આવશે. જેની કોઈ મર્યાદા નહીં હોય. રાજ્ય પરિવહન કમિશનર દ્વારા તેમને પરિવહન પ્રદાન કરવામાં આવશે. તેઓ કેબિનેટ મંત્રીને આપેલી મુસાફરીની સુવિધાનો લાભ લઈ શકશે. હોસ્પિટાલીટીના નામે તેઓ 5 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. કેબિનેટ પ્રધાનને મળતી તબીબી સુવિધાઓ પણ તેમના માટે ઉપલબ્ધ રહેશે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સોમવારે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર બનાવવાની જાણકારી આપી હતી. અમરિંદર સિંહે ટ્વીટ કરતા કહ્યું હતું કે, “પ્રશાંત કિશોર મુખ્ય સલાહકાર તરીકે મારી સાથે જોડાયા છે એનો અમને આનંદ થયો છે. હું પંજાબના લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરવાની આશા રાખું છું. ” પ્રશાંત કિશોરે વર્ષ 2017માં પંજાબ વિધાનસભા દરમિયાન કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. હાલમાં કિશોરની કંપની, ભારતીય પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પીએસી) મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કિશોરે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટેના અભિયાનની આગેવાની કરી હતી.

આ પણ વાંચો: West bengal assembly election 2021: યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં સભા સંબોધિત કરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">