કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ, સુખદેવસિંહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ અને સાંસદ સુખદેવસિહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ ઓવોર્ડ કેન્દ્ર સરકારને પરત કર્યો છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિકાયદાનો પંજાબ અને હરિયાણા સહીત ઉતર ભારતના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોને ટેકો આપવાના ભાગરૂપે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહે આજે કેન્દ્ર સરકારને […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રકાશસિંહ બાદલ અને સાંસદ સુખદેવસિહ ઢીંઢસાએ પદ્મવિભૂષણ ઓવોર્ડ કેન્દ્ર સરકારને પરત કર્યો છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિકાયદાનો પંજાબ અને હરિયાણા સહીત ઉતર ભારતના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોને ટેકો આપવાના ભાગરૂપે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહે આજે કેન્દ્ર સરકારને પદ્મવિભૂષણ અવોર્ડ પરતા આપ્યો છે. બાદલે કહ્યું છે કે, હુ જે કાઈ છુ તે જનતા અને ખેડૂતોના કારણે છુ. આજે ખેડૂતોએ તેમના સન્માનથી વધુ ગુમાવ્યુ છે. ત્યારે મારે પદ્મવિભૂષણ રાખવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. કેન્દ્ર સરકારે તેમને દગો આપ્યો હોવાનું પણ કહ્યું છે. શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટીક)ના વડા અને રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંઢસાએ પણ પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો