નાગરિકતા કાયદાને લઈને પાછીપાની કરશે સરકાર? PM મોદીએ કહીં દીધી આ વાત
PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે અને ત્યાં પ્રજાલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. વારાણસીના ચંદોલી ખાતે તેઓએ સભાને સંબોધન કરી હતી અને સીએએ કાયદાનો વિરોધ કરનારા લોકોને એક સંદેશો ઈશારામાં જ આપી દીઘો છે. તેઓએ કહ્યું કે દેશહિતમાં અમુક ચુકાદાઓ જરૂરી હતા અને દુનિયાભરના દબાણની વચ્ચે પણ અમે આ ચુકાદાઓ પર કાયમ છીએ […]
PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે અને ત્યાં પ્રજાલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. વારાણસીના ચંદોલી ખાતે તેઓએ સભાને સંબોધન કરી હતી અને સીએએ કાયદાનો વિરોધ કરનારા લોકોને એક સંદેશો ઈશારામાં જ આપી દીઘો છે. તેઓએ કહ્યું કે દેશહિતમાં અમુક ચુકાદાઓ જરૂરી હતા અને દુનિયાભરના દબાણની વચ્ચે પણ અમે આ ચુકાદાઓ પર કાયમ છીએ અને કાયમ રહીશું.
દેશભરમાં સીએએને લઈને વિરોધ ચાલી રહ્યો છે. ખાસ કરીને શાહીનબાગ ખાતે સતત વિરોધ ચાલી રહ્યો છે અને તેને લઈને અમિત શાહે આ મુદાને લઈને વાતચીત કરવાનો સમય પણ આપ્યો છે. જો કે આજે શાહીનબાગના પ્રદર્શનકારીઓ અમિત શાહ સાથે મળી શક્યા નહોતા અને પોલીસની સાથે જ વાતચીત કરીને પાછા ફર્યા હતા. આ બાજુ જોવા જઈએ તો પીએમ મોદીએ વિરોધ કરનારોને ઈશારામાં જ જણાવી દીધું છે કે તેઓ દુનિયાભરના દબાણથી પણ ઝુકવાના નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીના ચંદોલી ખાતે સભાને સંબોધિત કરતાં કહ્યું કે અમારી સરકાર છેલ્લી હરોળમાં બેઠેલાં લોકોને લાભ પહોંચે તે માટે કામ કરી રહી છે. તેઓએ કાશીના ભારોભાર વખાણ પોતાના સંબોધનમાં કર્યા હતા. આ ઉપરાંત સંસ્કૃતના શિક્ષણની સાથે કેવી રીતે સરકાર ટેકનોલોજીને આગળ લાવવા પ્રયત્ન કરી રહી છે તેના વિશે પણ જાણકારી આપી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]